Tuesday, September 16, 2025

અમદાવાદની આ હોસ્પિટલને દર્દી પાસેથી રૂપિયા પડાવવાનું ભારે પડયું, PMJAY કાર્ડ હોવા છતાં 8 લાખ વસુલ્યા

Share

Share

અમદાવાદ : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી PMJAY યોજનામાં દર્દી પાસેથી બિન અધિકૃત રીતે પૈસા વસૂલવાના પ્રકરણમાં સરકારની આયુષમાન યોજનાની ગાઈડલાઈનનો ભંગ કરવાનું સ્ટર્લિંગ હોસ્પિટલને ભારે પડ્યું છે.સરકારે આ માટે સ્ટર્લિંગ હોસ્પિટલને 45 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હોસ્પિટલે દર્દી પાસે આયુષમાન કાર્ડ હોવા છતા ઓપરેશનના રૂપિયા 9 લાખ વસુલ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશોએ સારવાર લેવા આવેલા દર્દી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)નું કાર્ડ હોવા છતાં સારવારના રૂપિયા વસૂલતા નોટિસ ફટકારી છે. હોસ્પિટલ સત્તાધીશો દ્વારા દર્દી પાસે આયુષ્માન કાર્ડ ના હોવાની ખોટી સહી કરાવડાવીને કેસલેસ સારવાર નહતી આપી અને રૂ.8,96,011 રૂપિયાનું તોતિંગ બિલ વસૂલ કર્યું હતુ.

આ મામલે દર્દીએ અમદાવાદના આરોગ્ય અધિકારીને ફરીયાદ કરતા આરોગ્ય અધિકારી એક્શનમાં આવ્યા હતા, અને સ્ટર્લિંગ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત હોસ્પિટલે દર્દી પાસેથી વસુલેલા રૂપિયા 9 લાખના 5 ગણા એટલે કે રૂપિયા 45 લાખનો દંડ હોસ્પિટલને ફટકાર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...