Wednesday, April 29, 2026

AMCએ શહેરના 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં ઉપર CCTV કેમેરા લગાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના SG હાઈવે ઉપર થયેલા તથ્યકાંડ બાદ AMC દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા CCTV કેમેરા લગાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેના આઠ મહિના બાદ શહેરમાં માત્ર 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક બ્રિજ અને અંડરબ્રિજમાં 4 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. બંને છેડા અને વચ્ચેના ભાગે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત વર્ષે જુલાઈ મહિનામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે AMC તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે આ ટેન્ડર પ્રક્રિયા બાદ પણ CCTV કેમેરા લગાવવા કોઈ કંપની તૈયાર થઈ નહોતી તેવું જાણવા મળ્યું છે. જોકે ત્યારબાદ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી CCTV કેમેરા લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બ્રિજ અને અંડરપાસમાં CCTV કેમેરા લગાવ્યા છે.

અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર જેટલા CCTV ​​​​​​​કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો AMC દ્વારા કરવામાં આવ્યો હતો. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.

ક્યાં ક્યાં CCTV લાગ્યા
જમાલપુરબ્રિજ
એલિસબ્રિજ
સુભાષબ્રિજ
પરિમલ અંડરપાસ
મીઠાખળી અંડરપાસ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...