Wednesday, January 21, 2026

AMCએ શહેરના 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં ઉપર CCTV કેમેરા લગાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના SG હાઈવે ઉપર થયેલા તથ્યકાંડ બાદ AMC દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા CCTV કેમેરા લગાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેના આઠ મહિના બાદ શહેરમાં માત્ર 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક બ્રિજ અને અંડરબ્રિજમાં 4 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. બંને છેડા અને વચ્ચેના ભાગે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત વર્ષે જુલાઈ મહિનામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે AMC તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે આ ટેન્ડર પ્રક્રિયા બાદ પણ CCTV કેમેરા લગાવવા કોઈ કંપની તૈયાર થઈ નહોતી તેવું જાણવા મળ્યું છે. જોકે ત્યારબાદ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી CCTV કેમેરા લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બ્રિજ અને અંડરપાસમાં CCTV કેમેરા લગાવ્યા છે.

અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર જેટલા CCTV ​​​​​​​કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો AMC દ્વારા કરવામાં આવ્યો હતો. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.

ક્યાં ક્યાં CCTV લાગ્યા
જમાલપુરબ્રિજ
એલિસબ્રિજ
સુભાષબ્રિજ
પરિમલ અંડરપાસ
મીઠાખળી અંડરપાસ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...