અમદાવાદ : શહેરના SG હાઈવે ઉપર થયેલા તથ્યકાંડ બાદ AMC દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા CCTV કેમેરા લગાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેના આઠ મહિના બાદ શહેરમાં માત્ર 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક બ્રિજ અને અંડરબ્રિજમાં 4 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. બંને છેડા અને વચ્ચેના ભાગે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત વર્ષે જુલાઈ મહિનામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે AMC તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે આ ટેન્ડર પ્રક્રિયા બાદ પણ CCTV કેમેરા લગાવવા કોઈ કંપની તૈયાર થઈ નહોતી તેવું જાણવા મળ્યું છે. જોકે ત્યારબાદ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી CCTV કેમેરા લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બ્રિજ અને અંડરપાસમાં CCTV કેમેરા લગાવ્યા છે.
અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર જેટલા CCTV કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો AMC દ્વારા કરવામાં આવ્યો હતો. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.
ક્યાં ક્યાં CCTV લાગ્યા
જમાલપુરબ્રિજ
એલિસબ્રિજ
સુભાષબ્રિજ
પરિમલ અંડરપાસ
મીઠાખળી અંડરપાસ


