Wednesday, March 4, 2026

AMCએ શહેરના 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં ઉપર CCTV કેમેરા લગાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના SG હાઈવે ઉપર થયેલા તથ્યકાંડ બાદ AMC દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા CCTV કેમેરા લગાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેના આઠ મહિના બાદ શહેરમાં માત્ર 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક બ્રિજ અને અંડરબ્રિજમાં 4 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. બંને છેડા અને વચ્ચેના ભાગે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત વર્ષે જુલાઈ મહિનામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે AMC તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે આ ટેન્ડર પ્રક્રિયા બાદ પણ CCTV કેમેરા લગાવવા કોઈ કંપની તૈયાર થઈ નહોતી તેવું જાણવા મળ્યું છે. જોકે ત્યારબાદ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી CCTV કેમેરા લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બ્રિજ અને અંડરપાસમાં CCTV કેમેરા લગાવ્યા છે.

અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર જેટલા CCTV ​​​​​​​કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો AMC દ્વારા કરવામાં આવ્યો હતો. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.

ક્યાં ક્યાં CCTV લાગ્યા
જમાલપુરબ્રિજ
એલિસબ્રિજ
સુભાષબ્રિજ
પરિમલ અંડરપાસ
મીઠાખળી અંડરપાસ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...