Friday, March 13, 2026

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે ખાસ વોર્ડ અને પાણીની ઇ-રીક્ષા કરાઈ શરૂ

spot_img
Share

અમદાવાદ : દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી અને દર વર્ષના અનુભવોને ધ્યાનમાં લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેના લીધે હિટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપવામાં આવશે. હિટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપી બચાવવા અંગે જરૂરી સગવડ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉનાળાની ગરમીમાં દર્દી, દર્દીના સગા કે સિવિલ કેમ્પસમાં આવેલ કોઈપણ વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવવા માટે ઇ-રીક્ષા કેમ્પસમાં ફેરવવામાં આવી રહી છે. તેમજ આ વર્ષે પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણી વગર ડીહાઇડ્રેશનના કારણે કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તે હેતુથી ઓપીડી વિભાગોમાં દર્દીને પાણી પીવાના પાણીના કુલર કે પરબ સુધી પણ જવુ ન પડે તે માટે દર્દીને તેની જગ્યા એ જ પાણીના જગ દ્વારા તરસ છીપાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.મેડીસીટી કેમ્પસમાં ફરતી પાણીની ઇ-રીક્ષા તેમજ સિવિલ હોસ્પિટલ અને 1200 બેડ OPD માં દર્દીને તેની જગ્યાએ જઈ પાણી પીવડાવવાની સગવડ પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ ગરમીમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ કામથી બહાર નીકળવાનું થાય તો પાણીની બોટલ કે લીંબુ સરબત સાથે રાખી વારંવાર પીવા સલાહ આપી છે. વધુંમાં તડકામાં કામ કરવું પડતું હોય તેવા મજૂર વર્ગ પણ શક્ય હોય તો સવાર સાંજ એક ઍક કલાક વહેલા તેમજ મોડા કામ કરી બપોર 12 થી 4 ના અસહ્ય તડકાથી બચવું જોઇએ તેવી અપીલ કરી છે. આ સિવાય જો તમને ઉલટી ઉબકા આવે, ચક્કર આવે, આંખે અંધારા લાગે, ગભરામણ જેવા લક્ષણો લાગે તો તાત્કાલિક નજીકમાં ડોકટરની સલાહ લેવી જોઈએ તેમ જણાવવામાં આવ્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...