Thursday, March 12, 2026

સાયન્સ સિટીથી ભાડજ તરફ જતો અંડરપાસ લોકાર્પણ વગર જ ખુલ્લો મુકાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી– AUDAએ તૈયાર કરેલો સાયન્સ સીટી અન્ડરપાસ લોકાર્પણ વગર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. રિંગરોડ પર સાયન્સ સિટી ચાર રસ્તા પાસે AUDA દ્વારા 73.38 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને સાયન્સ સિટીથી ભાડજ તરફ જવા માટે આ અંડરબ્રિજ ખૂબ ઉપયોગી બનશે. બંને તરફ અવર-જવરથી આશરે રોજના 50 હજાર જેટલા નાગરિકોને ફાયદો થશે.ચૂંટણીની આચારસંહિતા ચાલતી હોવાથી લોકાર્પણ વિના તે શરૂ થઈ ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ટ્રાફિકની સમસ્યાને જોતા AUDA દ્વારા સાયન્સ સીટી જંકશન ખાતે થ્રી લેયર જંક્શન ડેવલપમેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર ફ્લાય ઓવરની કામગીરી, સાયન્સ સીટી જંકશન ઉપર અંડરપાસની કામગીરી તથા ગ્રાઉન્ડ લેવલ ઉપર રોટરી બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ફ્લાયઓવર બ્રીજની કામગીરી ઓગસ્ટ-2022 માં પૂર્ણ કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણી જાહેર થાય તેની પહેલા જ આ અંડરબ્રિજ શરૂ કરવામાં આવનાર હતો. જો કે, કલરકામ તેમજ અન્ય નાની-મોટી કામગીરી બાકી હોવાના કારણે બ્રિજ નાગરિકો માટે ખુલ્લો મૂકી શકાયો નહોતો. હવે અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જતા વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. બંને તરફ અવર-જવરથી આશરે રોજના 50 હજાર જેટલા નાગરિકોને ફાયદો થશે.

AUDAએ તૈયાર કરેલા સાયન્સ સીટી અન્ડરપાસની લંબાઈ 534 મીટર, પહોળાઈ 19.20 મીટર છે. આ અંડર પાસને કારણે સોલાથી ભાડજ તથા રીંગરોડ પર શીલજ સર્કલથી ઓગણજ સર્કલ તરફના વાહનચાલકોને ફાયદો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...