Friday, November 28, 2025

અમદાવાદની આ રેસ્ટોરાંએ બ્રાહ્મણ ફેમિલીને નોનવેજ પીરસ્યું, ગ્રાહકે રૂ.30 લાખનો દાવો માંડ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શેલામાં રહેતા ગૌરાંગ રાવલે જાણીતા ક્લબ ઓ-7માં આવેલી ક્યુબ લોન્જ નામની રેસ્ટોરાં સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં રૂ.30 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે. હકીકતમાં વ્યાનધમ ગ્રુપ દ્વારા સંચાલિત આ રેસ્ટોરાંએ ગંભીર બેદરકારી દાખવીને બ્રાહ્મણ પરિવારને નોન-વેજ ખોરાક પિરસીને તેમની ધાર્મિક સંવેદના અને સ્વાસ્થ સાથે ક્રૂર મજાક કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ ગત 7 માર્ચના રોજ રેસ્ટોરાંમાં જમવા ગયા હતા. જ્યાં તેમને વેઇટરને 1 વેજ મખ્ખનવાલા, 3 બટર રોટી, 1 દાલફ્રાય, 2 ફ્રાય પાપડ અને 2 છાશનો ઓર્ડર કર્યો હતો. 15 મિનિટ બાદ વેઇટરે ઓર્ડર સર્વ કર્યો હતો. પરંતુ તેમાં વેજ મખ્ખનવાલાનું શાક દેખીતી રીતે હોવું જોઈએ તેવું લાગતું નહોતું. આથી ગ્રાહકે વેઇટરને અને શેફને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આ શાક વેજ મખ્ખનવાલા જ છે.

ગ્રાહકે પોતાના બહેન અને બનેવી સાથે ખાવાનું શરૂ કરતાં તેને કાઈ અજુગતું લાગ્યું હતું. તેને એવો અંદેશો આવી ગયો હતો કે, આ માંસાહારી ખોરાક છે. તેને વેઇટર અને શેફને આ અંગે પૂછતાં તેઓ તે વાત માનવા તૈયાર નહોતા. જો કે, પાછળથી એક શેફે સ્વીકાર્યું હતું કે, આ વેજ મખ્ખનવાલા નહીં પણ મુર્ગ મખ્ખનવાલા છે, એટલે કે ચિકનની માંસાહારી વસ્તુ છે. ગ્રાહક અને તેના બહેન બનેવી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમજ ચુસ્ત શાકાહારી છે. તેમને જીવનમાં કદી માંસાહાર કર્યો નથી.

સંપૂર્ણ શાકાહારી બ્રહ્મ પરિવાર આ ઘટનાથી આઘાત પામ્યો હતો અને તાત્કાલિક ક્ષણે આ બાબત ગૌરાંગ રાવલે મેનેજમેન્ટને જણાવી હતી. પરંતુ મેનેજમેન્ટ આ બાબત ખુબ જ સામાન્ય ગણાવી હતી. આટલું જ નહીં ઘટના બાદથી ગૌરાંગ રાવલથી નારાજ થઈને તેમના બહેન અને બનેવી જતા રહ્યા અને તેમની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. રેસ્ટોરાંની ગંભીર બેદરકારીના કારણે ભાઈ-બહેનના સંબંધમાં તિરાડ પડી ગઈ.

આ ઘટના અંગે 30 લાખ રૂપિયાનું વળતર મેળવવા અને જાહેરમાં માફી માંગવા ગ્રાહકે રેસ્ટોરાંને લીગલ નોટિસ મોકલી હતી. જેમાં જણાવાયું હતું કે, 15 દિવસમાં જો તે આ નોટિસ સંદર્ભે કાર્યવાહી નહીં કરે તો ગ્રાહક રેસ્ટોરાં સામે કેસ કરશે. જો કે, 20 દિવસ ઉપરનો સમય વિતી ગયો હોવા છતાં રેસ્ટોરાં તરફથી કોઈ જવાબ ના મળતા ગ્રાહકે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેસ્ટોરાં સામે 30 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે એવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...