Wednesday, February 11, 2026

અમદાવાદની આ સ્કૂલના બસના નશેડી ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત, સ્કૂલબસમાં બાળકો ન હોવાથી દુર્ઘટના ટળી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની એક સોસાયટીમાં ઘૂસી હતી. સ્કૂલબસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવીને બાળકોને મૂકીને બસ લઈને પરત નીકળ્યો હતો.આ દરમિયાન બસ ઘાટલોડિયાની રહેણાક સોસાયટીમાં ઘૂસી હતી જ્યાં સોસાયટીના ગેટથી લઈને અંદર સુધી દીવાલ અને વાહનને અથડાઈ હતી.જોકે બાળકો સ્કૂલબસમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની સ્કૂલનાં 35 બાળકોને સ્કૂલે મૂકીને આવી હતી.બસનો ડ્રાઇવર પ્રતિબંધિત રહેણાક વિસ્તારમાં બસ લઈને ઘૂસ્યો હતો. ઘાટલોડિયાની શ્રીનાથ સોસાયટીના કોમન પ્લોટની દીવાલને ટક્કર મારીને બસ સોસાયટીમાં ઘૂસી હતી, ત્યારબાદ સોસાયટીમાં બાળકો રમતાં હતાં ત્યારે બસ આવી હતી જ્યાં એક કારને ટક્કર મારી હતી.

બનાવને પગલે સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા.ડ્રાઈવરને નીચે ઉતારીને સોસાયટીના રહીશોએ રોકી રાખ્યો હતો. ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જે શિલજથી નાલંદા સ્કૂલમાં 35 બાળકોને મૂકીને આવ્યો હતો.ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જેની કબૂલાત પણ ડ્રાઇવરે કરી હતી અને જણાવ્યું હતું કે તે રોજ સાંજે દારૂ પીવે છે અને સવારે સ્કૂલબસ ચલાવે છે. જોકે બાળકો સ્કૂલબસમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

સમગ્ર મામલે કેટલાક સવાલો થઇ રહ્યા છે જેમ કે સ્કૂલ બસમાં કોઈ કન્ડક્ટર કેમ ન હતો? બાળકોને સલામત રીતે બસમાં ચડાવવા અને ઉતારવા સહિતની જવાબદારી એક કન્ડક્ટરની હોય છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે બસમાં કોઈ કન્ડક્ટર ન હતો અને રિવર્સ લેતી વખતે નશામાં ધૂત ડ્રાઈવરે બે જગ્યાએ અકસ્માત સર્જી દીધો. અન્ય એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ડ્રાઈવર નશામાં છે કે કેમ તે જોવાની જવાબદારી સ્કૂલ પ્રશાસનની હોય છે. અહીં તો સ્કૂલ પ્રશાસન પણ ઉંઘતુ ઝડપાયુ છે. સ્કૂલ પ્રશાસનને ખબર જ નથી કે ડ્રાઈવર નશામાં છે. સ્કૂલમાં બસ લેવા જાય છે ત્યાંથી બાળકોને લેવા જાય છે એ દરમિયાન ડ્રાઈવર કઈ હાલતમાં છે તે જોવાની જવાબદારી શાળાની હોય છે.

સદ્દનસીબે આ ઘટનામાં બસમાં બેસેલા તમામ બાળકો સલામત છે. જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે આ નશેડી ડ્રાઈવરે કોઈ મોટો અકસ્માત સર્જ્યો હોત તો? બસમાં બેસેલા વિદ્યાર્થીઓની સલામતીનું શું ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...