Saturday, February 7, 2026

અમદાવાદમાં 467 સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવા કવાયત, જન પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી બનશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પરકોટિંગ વેલ યોજના બનાવવામાં આવી છે.જે અંતર્ગત શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં આવેલી 3957 સોસાયટીના સર્વેમાંથી 467 સોસાયટી દ્વારા અરજી કરવામાં આવી છે.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ભૂગર્ભજળને ઊંચા લાવવા માટે દરેક સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટીંગ વેલ બનાવવા માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને અપીલ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં આવેલી 3957 સોસાયટીના સર્વેમાંથી 467 સોસાયટી દ્વારા અરજી કરવામાં આવી છે. 10 વેલનું કામ પૂર્ણ થયું છે જ્યારે 14નું કામ ચાલુ છે. 367 વેલનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે. જ્યારે 25નો અંદાજ મંજૂરીમાં છે. 148 સોસાયટીઓને ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટરની ગ્રાન્ટ મળી છે. જેમાંથી પરકોલેટીંગ વેલ બનશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની જ બિલ્ડિંગમાં 1200 વેલ અને ખંભાતી કુવા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જળ એજ જીવન છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવમાં આવે તેના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ સોસાયટીના સેક્રેટરી અને ચેરમેનને પત્રો લખવામાં આવ્યા છે.

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ખંભાતી કુવા અને પરકોલેટીંગ વેલને મહત્વ આપવામાં આવ્યું છે. સ્વર્ણિમ યોજના અંતર્ગત 20 ટકા સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેટરની ગ્રાન્ટ તથા 80 કોર્પોરેશનના બજેટને લઈને વેલ બનાવી આપવામાં આવશે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળને ઉંચા લાવવા માટે હાલમાં પરકોલેટીંગ વેલને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...