Wednesday, September 17, 2025

અમદાવાદમાં ફરી કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતા ઝડપાયો, વોન્ટેડ ગુનેગાર પાસેથી પાસા નહી કરવા લાંચ માંગી હતી

Share

Share

અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ એકાદ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે લાલ આંખ કરીને એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદનાં ચાંદખેડામાં પોલીસ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતો ઝડપી પાડ્યો હતો. પોલીસે વોન્ટેડ કરેલા આરોપીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવા અંગે પાંચ લાખની લાંચ માંગી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં ફરીયાદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આથી ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા એક્ટની કલમો નહિ લાગુ કરવા માટે 5,30,000 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ હાલ તેની પાસે માત્ર 2 લાખ રૂપિયા હોય બાકીનાં પૈસા પછીથી આપવા જણાવ્યું હતું.

આથી ચાંદખેડાનાં નવા સી.જી.રોડ ચાર રસ્તા પર ACBએ ટ્રેપ કરી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ ફરિયાદીને લાંચની રકમ આપવા બોલાવ્યો હતો અને આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનાં કહેવાથી આ ગુનાના અન્ય એક આરોપી મીતુલ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ ગોહીલે લાંચની રકમ લીધી હતી.

આ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતા ઝડપી લીધો હતો. કેસની વિગતો અનુસાર ફરિયાદીએ છેલ્લા ચારેક માસથી તેમણે દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. આરોપી નારોલ પોલીસ સ્ટેશનનાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાતવતા વનરાજસિંહ વલકુભાઈ વાળાએ ફરીયાદી પાસે રૂ.2500ની માંગણી કરી હતી. જો પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...