Sunday, January 25, 2026

અમદાવાદની આ ટીમ સુબ્રટો ફુટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લા સ્તરે ચેમ્પિયન્સ બની, હવે દિલ્હી ખાતે રમવા જશે

spot_img
Share

અમદાવાદ : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમે પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લાકક્ષાએ ફાઇનલમાં વિજેતા થઇ ઈતિહાસ રચ્યો છે. યુવા ફૂટબોલરોની બનેલી ટીમે મોટાભાગની મેચો સરળતાથી જીતી લીધી હતી. વિદ્યાર્થીઓએ રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 જીલ્લાકક્ષાની ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતીને રાજ્ય-સ્તરની ફૂટબોલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમે પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લાકક્ષાએ ફાઈનલમાં વિજેતા થઇ હતી.રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ 2025/2026ની સ્પર્ધામાં ગુજરાતમાંથી 42 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદ V/S વડોદરા શહેર બંને ટીમો ફાઈનલમાં પહોંચેલ હતી. આ બંને ટીમોની ફાઈનલ મેચ તા.30/07/2025 ના સવાર 08/00 વાગે યુનિર્વસિટી ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રમાયેલ હતી. જેમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદની ટીમ (05-00) ગોલ કરી ફાઈનલમાં વિજેતા થયેલ છે. જયારે વડોદરા શહેરની ટીમ રનર્સ અપ થઇ હતી.

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જીલ્લા રમતગમત અધિકારી, રાજકોટ દ્રારા સંચાલીત રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ સ્પર્ધા 2025/2026 નુ આયોજન રાજકોટ ખાતે રેસકોર્સ ફુટબોલ મેદાન, રેસકોર્સ રોડ તથા યુનિર્વસિટી ગ્રાઉન્ડ, રાજકોટમાં સ્પર્ધા ખાતે કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદની વિજેતા થયેલ ટીમ તા.15/09/2025 ના રોજ દિલ્હી ખાતે યોજનાર સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ રમવા જવાના છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફુટબોલ ટીમના કોચ શ્રી સત્યનારાયણ ચુડા, અને ટીમના મેનેજર દેવાંગ મિસ્ત્રી, ટીમના ટેકનીકલ અને ફિઝીયો બિરેન શાહ નાઓએ ટીમના તમામ ખેલાડીઓને બહુજ સારૂ સાથ સહકાર અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમના ખેલાડી નામ…
(1) માનસરાજ જગદીશસિંહ ગોહીલ (કેપ્ટન)
(2) નીલ લીલાધર ચાંદેકર
(3) શ્રેયસ પ્રકાશભાઇ ઠાકોર
(4) નૈત્ય નરેન્દ્રભાઇ પરમાર
(5) દિવ્યમ મેહુલભાઇ પટેલ
(6) દેવર્સ સંજયભાઇ પટેલ (ગોલ કીપર)
(7) ધાર્મિક પ્રકાશભાઇ તિલાવત
(8) મેહુલ બાબુભાઇ બારીયા
(9) મેસકા મોજસ ડોંગલીના
(10) વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ રહેવર
(11) બિદયુતજોય ખુદીરામ રેનગ
(12) જોનબોસ થાનકિમા મેસ્કા
(13) શાહીલ મનસુખભાઇ પાનસુરીયા
(14) કહામ રાય રેનગ
(15) હિત દેવશીભાઇ ગોજીયા
(16) અર્જુન સેંઘાજી ઠાકોર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...