Friday, March 20, 2026

અમદાવાદની આ ટીમ સુબ્રટો ફુટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લા સ્તરે ચેમ્પિયન્સ બની, હવે દિલ્હી ખાતે રમવા જશે

spot_img
Share

અમદાવાદ : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમે પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લાકક્ષાએ ફાઇનલમાં વિજેતા થઇ ઈતિહાસ રચ્યો છે. યુવા ફૂટબોલરોની બનેલી ટીમે મોટાભાગની મેચો સરળતાથી જીતી લીધી હતી. વિદ્યાર્થીઓએ રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 જીલ્લાકક્ષાની ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતીને રાજ્ય-સ્તરની ફૂટબોલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમે પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લાકક્ષાએ ફાઈનલમાં વિજેતા થઇ હતી.રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ 2025/2026ની સ્પર્ધામાં ગુજરાતમાંથી 42 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદ V/S વડોદરા શહેર બંને ટીમો ફાઈનલમાં પહોંચેલ હતી. આ બંને ટીમોની ફાઈનલ મેચ તા.30/07/2025 ના સવાર 08/00 વાગે યુનિર્વસિટી ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રમાયેલ હતી. જેમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદની ટીમ (05-00) ગોલ કરી ફાઈનલમાં વિજેતા થયેલ છે. જયારે વડોદરા શહેરની ટીમ રનર્સ અપ થઇ હતી.

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જીલ્લા રમતગમત અધિકારી, રાજકોટ દ્રારા સંચાલીત રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ સ્પર્ધા 2025/2026 નુ આયોજન રાજકોટ ખાતે રેસકોર્સ ફુટબોલ મેદાન, રેસકોર્સ રોડ તથા યુનિર્વસિટી ગ્રાઉન્ડ, રાજકોટમાં સ્પર્ધા ખાતે કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદની વિજેતા થયેલ ટીમ તા.15/09/2025 ના રોજ દિલ્હી ખાતે યોજનાર સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ રમવા જવાના છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફુટબોલ ટીમના કોચ શ્રી સત્યનારાયણ ચુડા, અને ટીમના મેનેજર દેવાંગ મિસ્ત્રી, ટીમના ટેકનીકલ અને ફિઝીયો બિરેન શાહ નાઓએ ટીમના તમામ ખેલાડીઓને બહુજ સારૂ સાથ સહકાર અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમના ખેલાડી નામ…
(1) માનસરાજ જગદીશસિંહ ગોહીલ (કેપ્ટન)
(2) નીલ લીલાધર ચાંદેકર
(3) શ્રેયસ પ્રકાશભાઇ ઠાકોર
(4) નૈત્ય નરેન્દ્રભાઇ પરમાર
(5) દિવ્યમ મેહુલભાઇ પટેલ
(6) દેવર્સ સંજયભાઇ પટેલ (ગોલ કીપર)
(7) ધાર્મિક પ્રકાશભાઇ તિલાવત
(8) મેહુલ બાબુભાઇ બારીયા
(9) મેસકા મોજસ ડોંગલીના
(10) વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ રહેવર
(11) બિદયુતજોય ખુદીરામ રેનગ
(12) જોનબોસ થાનકિમા મેસ્કા
(13) શાહીલ મનસુખભાઇ પાનસુરીયા
(14) કહામ રાય રેનગ
(15) હિત દેવશીભાઇ ગોજીયા
(16) અર્જુન સેંઘાજી ઠાકોર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...