29.5 C
Gujarat
Sunday, August 3, 2025

અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત

Share

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર 36 મીટર ઊંચો અને 480 મીટર લાંબો ભવ્ય પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં સ્થિત આ પુલ 12 માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. એકવાર તૈયાર થઈ ગયા બાદ આ પુલ દેશના હાઈ સ્પીડ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલના રેલ નેટવર્ક વચ્ચેના સુમેળનું અનોખું ઉદાહરણ બની રહેશે. પુલની ડિઝાઇન અને બાંધકામમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના માપદંડો અને સલામતીની કડક વ્યવસ્થાઓ અમલમાં રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલ્વેની અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇનની બાજુમાં સ્થિત જે લગભગ 14.8 મીટર ઉંચી છે, બુલેટ ટ્રેન કોરિડોર પરનો સાબરમતી બ્રિજ કુલ આઠ ગોળાકાર થાંભલાઓ પર ઉભો રહેશે, જેમાંથી ચાર નદીના પટમાં સ્થિત હશે.નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ શુક્રવારે જણાવ્યું હતું કે, “6 થી 6.5 મીટર વ્યાસવાળા કુલ આઠ ગોળાકાર થાંભલાઓ બનાવવામાં આવ્યા છે; ચાર નદીના પટમાં સ્થિત છે, બે દરેક બાજુ નદીના કિનારે અને બે નદીના કિનારાની બહાર છે. નદીના જળમાર્ગમાં અવરોધ ઓછો કરવા માટે થાંભલાઓની વ્યૂહાત્મક ગોઠવણી સાથે પુલ ડિઝાઇન કરવામાં આવ્યો છે.એકવાર પૂર્ણ થયા પછી આ પુલ ફક્ત આધુનિક કનેક્ટિવિટીના પ્રતીક તરીકે જ નહીં પરંતુ હાઇ-સ્પીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલના રેલ નેટવર્ક વચ્ચે સંવાદિતાનું ઉદાહરણ પણ બનશે.”

આ પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે, જે ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનીક છે. આ પદ્ધતિનો તાત્પર્ય એ છે કે, પુલની નીચે પાલખી લગાવ્યા વિના પુલનું બાંધકામ કરવામાં આવે છે અને દરેક થાંભલા પરથી ડાબી અને જમણી બાજુના સેગમેન્ટોને ક્રમશઃ જોડીને, પોસ્ટ-ટેન્શનિંગ અને સંતુલન દ્વારા પુલનો સુપરસ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવે છે. આ રીતે સતત અને સ્થિર પુલનો ડેક તૈયાર થાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles