Wednesday, March 11, 2026

અમદાવાદ પોલીસની મોટી સફળતા, બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સાત મહિનાની બાળકીના અપહરણ અને તેને વેચવાના કાવતરાનું ભાંડો ફૂટ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ધોળકાના એક IVF સેન્ટરમાં કાર્યરત નર્સ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધોળકામાં 7 મહિનાની બાળકીના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધોળકાના IVF સેન્ટરમાં કામ કરતી નર્સે અપહરણ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. નર્સ બાળકીનું અપહરણ કરી ઓરંગાબાદ વેચવા માટે પહોંચી હતી. પોલીસે ઓરંગાબાદ પહોંચી બાળ તસ્કરી કૌભાંડને ઝડપી પાડ્યું હતું. બાળકીની ખરીદી કરનાર સહિત નર્સની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યમાં વેચાણ કરતા હતા. બાળ તસ્કરી રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નર્સ છેલ્લા કેટલાક સમયથી બાળકો વેચવાના કૌભાંડમાં સંડોવાયેલ હતી અને આ અપહરણ તેનું પહેલું કૃત્ય ન હતું. તેવો શક પણ પોલીસ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ઓરંગાબાદ પહોંચીને બાળકીને સલામત રીતે બચાવી લીધી હતી. અને તેને ખરીદનારા શખ્સની પણ ધરપકડ કરી છે.

પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં આવી શક્યાની શક્યતા છે કે આ એક મોટું બાળ તસ્કરીનું રેકેટ હોય તેવી શક્યતાઓ છે. અત્યારે આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પુછતાછ ચાલી રહી છે અને વધુ શંકાસ્પદ લોકોની ઓળખ માટે પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને, બાળકીને સમયસર બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...