Tuesday, January 13, 2026

અમદાવાદ પોલીસની મોટી સફળતા, બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સાત મહિનાની બાળકીના અપહરણ અને તેને વેચવાના કાવતરાનું ભાંડો ફૂટ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ધોળકાના એક IVF સેન્ટરમાં કાર્યરત નર્સ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધોળકામાં 7 મહિનાની બાળકીના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધોળકાના IVF સેન્ટરમાં કામ કરતી નર્સે અપહરણ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. નર્સ બાળકીનું અપહરણ કરી ઓરંગાબાદ વેચવા માટે પહોંચી હતી. પોલીસે ઓરંગાબાદ પહોંચી બાળ તસ્કરી કૌભાંડને ઝડપી પાડ્યું હતું. બાળકીની ખરીદી કરનાર સહિત નર્સની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યમાં વેચાણ કરતા હતા. બાળ તસ્કરી રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નર્સ છેલ્લા કેટલાક સમયથી બાળકો વેચવાના કૌભાંડમાં સંડોવાયેલ હતી અને આ અપહરણ તેનું પહેલું કૃત્ય ન હતું. તેવો શક પણ પોલીસ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ઓરંગાબાદ પહોંચીને બાળકીને સલામત રીતે બચાવી લીધી હતી. અને તેને ખરીદનારા શખ્સની પણ ધરપકડ કરી છે.

પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં આવી શક્યાની શક્યતા છે કે આ એક મોટું બાળ તસ્કરીનું રેકેટ હોય તેવી શક્યતાઓ છે. અત્યારે આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પુછતાછ ચાલી રહી છે અને વધુ શંકાસ્પદ લોકોની ઓળખ માટે પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને, બાળકીને સમયસર બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....