Wednesday, March 18, 2026

મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના વધતા આપઘાતને લઈને બનાવાઈ સ્પેશિયલ IMA કેર કમિટિ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓમાં સુસાઇડનું પ્રમાણ જોવા મળ્યું છે. જેના કારણે સિનિયર તબીબો ચિંતાતુર બન્યા છે. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્યની તમામ 32 મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તાણ ન અનુભવાય તેને લઇને IMA કેર કમિટી બનાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓમાં સુસાઇડનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે.

આ અંગે IMAના સ્ટેટ બ્રાન્ચના સેક્રેટરી ડો. મેહુલ શાહ જણાવે છે કે,રાજ્યની તમામ 32 મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તાણ ન અનુભવાય તેને લઇને IMA કેર કમિટી બનાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. દરેક કોલેજોના ડીન સાથે બેઠક યોજવામાં આવશે. દરેક કોલેજોની કેર કમિટીમાં સ્થાનિક હોદ્દેદાર, વાલી, વિદ્યાર્થી, કોલેજના પ્રોફેસર, મનોચિકીત્સકનો સમાવેશ કરવામાં આવશે અને વિદ્યાર્થીને ક્યા પ્રકારનો તાણ છે અને તેને કેવી રીતે દુર કરી શકાશે તે અંગે માર્ગદર્શન આપવામા આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે દરેક કોલેજમાં IMA કેર કમિટિમાં મેડિકલ સ્ટુડન્ટસ અને વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. સામાન્ય રીતે દર વર્ષે દરેક મેડિકલ સ્ટુડન્ટસનું ફિઝીકલ એસેસમેન્ટ થતું હોય છે. તેનું મેન્ટલ એસેસમેન્ટ થાય તો દરેક કેટલા વિદ્યાર્થીઓને આવી તકલીફ છે સેન્સીટીવ છે, ડિપ્રેશનમાં છે કે કોને કેરની જરુર છે તો તે આઈડેન્ટીફાય કરી તેને અટકાવી શકાય. તો આવનારા સમયમાં જે આપણો સ્કીલડ મેડિકલ ડોક્ટર કે જે આપણો ક્રીમ ઓફ સોસાયટી છે તેનો લોશ થતા અટકાવી શકીશું.

અમારો પ્રયાસ એવો છે કે, દરેક મેડિકલ કોલેજમાં કમિટિની રચના તેમા IMAના ડોક્ટર, બેથી ત્રણ વિદ્યાર્થી, તેના વાલી અને મેડિકલ કોલેજના ડોક્ટરને રાખીશું. જેથી કઈ રીતે પિરીયોડીકલ મેડિકલ એસેસમેન્ટની જરુર છે કઈ રીતે મોટીવેશનલ સ્પીકરના લેક્ચરની જરુર છે, સાયકોલોજીકલ એસેસેમેન્ટ કઈ કરવું તેની એક એડવાઈઝરી બનાવી રહ્યાં છીએ. આવી ઘટનાઓ પાછળ કયા કારણો જવાબદાર છે તે પણ અમે એકત્રીત કરી મેડિકલ કોલેજમાં પોઝીટીવ વાતાવરણ ઉભુ થાય તેવો અમારો પ્રયાસ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...