Thursday, September 18, 2025

અમદાવાદ શહેરમાં હાથીપગાની એન્ટ્રી, 3600 સેમ્પલમાંથી 4 કેસ આવ્યાં પોઝિટિવ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં કૉર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે હાથીપગા રોગની ચકાસણી માટે 3,600 લોકોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 4 વ્યક્તિ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ આગામી સમયમાં વધુને વધુ ટેસ્ટ કરશે.તો પોઝિટિવ આવેલ આ 4 વ્યક્તિઓ ઉત્તરપ્રદેશ અને બિહારની હિસ્ટ્રી ધરાવતા કેસ છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના રામોલ, ઇન્દ્રપુરી, વટવા, નોબલનગર અને બાપુનગર વિસ્તારમાં બહારથી આવતા લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો છેલ્લાં છ મહિનાથી વ્યવસાય માટે રોકાયેલ છે જેમાં હાથીપગા રોગના દર્દીઓ જોવા મળ્યા છે. જે લોકો હાથી પગોનો શિકાર બન્યા છે તે પરપ્રાંતિયો છે. બિહાર અને ઉત્તરપ્રદેશના શ્રમિકો હાથીપગા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ રોગ હવામાં ઉડતી જીવાતને કારણે થતા હોવાનું સામે આવ્યું છે. હાથીપગા 4 કેસ સામે આવતા સમગ્ર અમદાવાદમાં સેમ્પલ લેવાની આરોગ્ય અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં હાથીપગા રોગનો પગ પેસારો થયો હોવાની આશંકાને પગલે વધુ સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે.અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા 3600 સેમ્પલમાંથી 4 રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક બન્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...