Monday, November 10, 2025

અમદાવાદ શહેરમાં હાથીપગાની એન્ટ્રી, 3600 સેમ્પલમાંથી 4 કેસ આવ્યાં પોઝિટિવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કૉર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે હાથીપગા રોગની ચકાસણી માટે 3,600 લોકોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 4 વ્યક્તિ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ આગામી સમયમાં વધુને વધુ ટેસ્ટ કરશે.તો પોઝિટિવ આવેલ આ 4 વ્યક્તિઓ ઉત્તરપ્રદેશ અને બિહારની હિસ્ટ્રી ધરાવતા કેસ છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના રામોલ, ઇન્દ્રપુરી, વટવા, નોબલનગર અને બાપુનગર વિસ્તારમાં બહારથી આવતા લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો છેલ્લાં છ મહિનાથી વ્યવસાય માટે રોકાયેલ છે જેમાં હાથીપગા રોગના દર્દીઓ જોવા મળ્યા છે. જે લોકો હાથી પગોનો શિકાર બન્યા છે તે પરપ્રાંતિયો છે. બિહાર અને ઉત્તરપ્રદેશના શ્રમિકો હાથીપગા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ રોગ હવામાં ઉડતી જીવાતને કારણે થતા હોવાનું સામે આવ્યું છે. હાથીપગા 4 કેસ સામે આવતા સમગ્ર અમદાવાદમાં સેમ્પલ લેવાની આરોગ્ય અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં હાથીપગા રોગનો પગ પેસારો થયો હોવાની આશંકાને પગલે વધુ સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે.અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા 3600 સેમ્પલમાંથી 4 રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક બન્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...