Saturday, September 19, 2026

શહેરમાં 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે, AMC દ્વારા હાઈટ બેરિયર લગાવાશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થયા તે માટે AMC દ્વારા રિસ્ટ્રીક્ટેડ હાઈટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર રૂ. 2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 16 બ્રિજ પર ભારે લોડિંગ વાહનો પસાર ન થાય તેને લઈને એએમસી દ્વારા રોક લગાવવામાં આવશે. સમગ્ર મામલે એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં 25 વર્ષ કે તેનાથી જૂના જે પણ બ્રિજ છે ત્યાં હાઈટ બેરિયર મુકવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ કામગીરી છ મહિનામાં પૂર્ણ થશે.

એએમસી દ્વારા આ નિર્ણય સુભાષ બ્રિજ બેસી ગયા બાદ લેવામાં આવ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વના કનેક્ટિવિટી પોઇન્ટ એવા સુભાષ બ્રિજ પર ઉદ્ભવેલી માળખાકીય ચિંતાઓ હવે ગંભીર દિશામાં આગળ વધી રહી છે. ગત 4 ડિસેમ્બરથી પ્રાથમિક સુરક્ષા કારણોસર બ્રિજને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મળેલા નવા તારણો બાદ બ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી જાહેર અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાથમિક તપાસોમાં બ્રિજના પાનમાં તિરાડોની માહિતી બહાર આવી હતી, પરંતુ ત્યારબાદ નિષ્ણાતોએ ફાઉન્ડેશન સ્તરે ચકાસણી શરૂ કરી ત્યારે કેટલીક બીજી તકનીકી શંકાઓ ઊભી થઈ છે. તંત્રને શંકા છે કે બ્રિજના સુપર સ્ટ્રક્ચર સિવાય ફાઉન્ડેશનના કેટલાક ભાગોની વિગતવાર ન્યૂનતમ શક્તિ ચકાસવાની પણ જરૂર પડશે. આ બદલાતી તપાસને કારણે હવે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વધુ સ્પષ્ટ બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...