Thursday, January 15, 2026

શહેરમાં 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે, AMC દ્વારા હાઈટ બેરિયર લગાવાશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થયા તે માટે AMC દ્વારા રિસ્ટ્રીક્ટેડ હાઈટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર રૂ. 2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 16 બ્રિજ પર ભારે લોડિંગ વાહનો પસાર ન થાય તેને લઈને એએમસી દ્વારા રોક લગાવવામાં આવશે. સમગ્ર મામલે એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં 25 વર્ષ કે તેનાથી જૂના જે પણ બ્રિજ છે ત્યાં હાઈટ બેરિયર મુકવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ કામગીરી છ મહિનામાં પૂર્ણ થશે.

એએમસી દ્વારા આ નિર્ણય સુભાષ બ્રિજ બેસી ગયા બાદ લેવામાં આવ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વના કનેક્ટિવિટી પોઇન્ટ એવા સુભાષ બ્રિજ પર ઉદ્ભવેલી માળખાકીય ચિંતાઓ હવે ગંભીર દિશામાં આગળ વધી રહી છે. ગત 4 ડિસેમ્બરથી પ્રાથમિક સુરક્ષા કારણોસર બ્રિજને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મળેલા નવા તારણો બાદ બ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી જાહેર અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાથમિક તપાસોમાં બ્રિજના પાનમાં તિરાડોની માહિતી બહાર આવી હતી, પરંતુ ત્યારબાદ નિષ્ણાતોએ ફાઉન્ડેશન સ્તરે ચકાસણી શરૂ કરી ત્યારે કેટલીક બીજી તકનીકી શંકાઓ ઊભી થઈ છે. તંત્રને શંકા છે કે બ્રિજના સુપર સ્ટ્રક્ચર સિવાય ફાઉન્ડેશનના કેટલાક ભાગોની વિગતવાર ન્યૂનતમ શક્તિ ચકાસવાની પણ જરૂર પડશે. આ બદલાતી તપાસને કારણે હવે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વધુ સ્પષ્ટ બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...