Wednesday, March 4, 2026

રેરા દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું : બિલ્ડરના બાંધકામ પર ગ્રાહક ઘેરબેઠા નજર રાખી શકશે, SMS દ્વારા સીધી માહિતી

spot_img
Share

અમદાવાદ : રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને ગ્રાહકોને તેમના સપનાના ઘરના બાંધકામની પ્રગતિ વિશે માહિતગાર રાખવા માટે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરાત રેરા દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.હવે ફ્લેટ કે મકાન બુક કરાવનાર ગ્રાહકો પોતાના ઘરે બેઠા જ બિલ્ડર દ્વારા થઈ રહેલા બાંધકામ પર નજર રાખી શકશે. આ નવી પહેલ હેઠળ, બિલ્ડર દ્વારા સમયાંતરે બાંધકામની પ્રગતિ અંગેની માહિતી રેરા દ્વારા SMS (શોર્ટ મેસેજ સર્વિસ) થકી સીધી ગ્રાહકોને મોકલવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રેરાના રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) અધિનિયમ, 2016 અંતર્ગત, રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અંગેનો તમામ ડેટા રેરા પોર્ટલ પર જાહેર ડોમેઇનમાં ઉપલબ્ધ હોય છે. આમાં પ્રમોટર દ્વારા દર ત્રિમાસિક અહેવાલ તરીકે પ્રોજેક્ટની પ્રગતિ તથા યુનિટ બુકિંગની વિગત રજૂ કરવાની થાય છે. આ અહેવાલમાં પ્રોજેક્ટની બાંધકામ તેમજ નાણાકીય સહિતની તમામ વિગતોની પ્રગતિ દર્શાવવાની હોય છે.આથી હવે આ રિપોર્ટ રજીસ્ટર મિલકત ધારકને મોકલવામાં આવશે.

તેના માટે બિલ્ડર દ્વારા તેમની સ્કીમમાં જે પણ એલઓટીને મકાન કે મિલકત ફાળવવામાં આવી હોય તેનો સત્તાવાર મોબાઈલ નંબર રેરા માં જમા કરાવવાનો રહેશે આથી રેરા દ્વારા આ નંબર ઉપર SMS મોકલવામાં આવી શકે છે.આ પહેલના લાભરૂપે, પ્રોજેક્ટના સંબંધિત આશરે ૩ લાખ જેટલા એલોટીઝ પોતાના મોબાઇલ ફોન પર JM-GRERA-G મળેલા SMSની ‘Website Link’ મારફતે તેમના રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અંગેની તાજેતરની વિગતો સરળતાથી મેળવી શકશે.

ગ્રાહકોને સમયસર અને સચોટ માહિતી મળે તે સુનિશ્ચિત કરવા માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેરાના કાયદાની કલમ 11 મુજબ રેરા રજીસ્ટર પ્રોજેક્ટના પ્રમોટર દ્વારા પોતાનો ત્રિમાસિક પ્રગતિ અહેવાલ રેરાની વેબસાઈટ ઉપર ફરજિયાત પણે અપલોડ કરવાનો હોય છે તેમાં પ્રોજેક્ટની ઝીણામાં ઝીણી વિગતો માં થયેલી પ્રગતિ વિશે ફોટોગ્રાફ અને આર્કિટેક તેમજ સ્ટાર્ટર એકાઉન્ટન્ટના સર્ટિફિકેટ સાથે વિગતો રજૂ કરવાની હોય છે.

આનાથી ગ્રાહકોને સાઇટની મુલાકાત લીધા વિના પણ તેમના યુનિટના બાંધકામના વિવિધ તબક્કાઓ વિશેની જાણકારી મળી રહેશે. જેમ કે, પાયાનું કામ પૂર્ણ થયું, સ્ટ્રક્ચરલ વર્ક ક્યાં પહોંચ્યું, પ્લાસ્ટરિંગ શરૂ થયું, ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે, કેટલા યુનિટ બુક થયા, ગ્રાહકો તરફથી પેમેન્ટ કેટલું મળ્યું, પ્રોજેક્ટ લોન વગેરે જેવી વિગતો SMS દ્વારા મોકલાશે.

આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ બિલ્ડર અને ખરીદદાર વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવાનો અને પ્રોજેક્ટમાં વિલંબ જેવી બાબતો અંગે ગ્રાહકોની ચિંતાઓને દૂર કરવાનો છે. અગાઉ, બાંધકામની પ્રગતિ જાણવા માટે ગ્રાહકોને વારંવાર બિલ્ડરનો સંપર્ક કરવો પડતો હતો અથવા પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવી પડતી હતી, જે સમય માંગી લેતું કામ હતું.

નવા નિયમ મુજબ, બિલ્ડરોએ હવે નિયમિત અંતરાલે બાંધકામની સ્થિતિ ગ્રાહકોને અપડેટ કરવી ફરજિયાત બનશે. આ પગલું રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 2016 (RERA) ના આશયને વધુ મજબૂત બનાવે છે, જે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જવાબદેહી લાવવા પર ભાર મૂકે છે.

આ નવી સિસ્ટમથી ગ્રાહકોમાં વિશ્વાસ વધશે અને પ્રોજેક્ટની સમયસર ડિલિવરી અંગેની પારદર્શિતા સુધરશે. આ સુવિધાનો લાભ લેવા માટે, ગ્રાહકે પોતાનો સાચો અને અપડેટ કરેલો મોબાઇલ નંબર બિલ્ડર સાથે રજીસ્ટર કરાવવો જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...