Thursday, January 15, 2026

નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ બાદ નવા ફ્લેટોની કિંમતમાં ભારે ઉછાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર, જે ગુજરાતનું આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાય છે, તેમાં છેલ્લા કેટલીક વર્ષોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ જાેવા મળ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા વિકસિત જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને કારણે શહેરની સ્કાયલાઈન બદલાઈ રહી છે. આ રીડેવલપમેન્ટ પછી જુના ફલેટની સરખામણીમાં નવા બનેલ ફ્લેટોની કિંમતોમાં ભારે વધારો થયો છે, જેનું કારણ આધુનિક સુવિધાઓ, વધુ FSI (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ) અને માંગ-પુરવઠાનું અસંતુલન છે.જેના કારણે શહેરીજનોમાં રીડેવલપમેન્ટનો ક્રેઝ વધ્યો હોવાનું જાણકારો માની રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સમગ્ર રાજયમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની 60 સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં ફક્ત અમદાવાદમાં જ 53 જેટલી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા પુરી કરી ડેવલપરની નિમણુંક કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 10 સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં કન્સ્ટ્રકશનની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. આ 10 સોસાયટીઓમાં રેરાની મંજુરી આવી જતા ડેવલપરોની દ્વારા મુળ લાભાર્થી સિવાય અન્ય નવા ફલેટોનું વેચાણ પણ શરૂ કર્યું છે.જેમાં સોસાયટીમાં જુના ફલેટની સરખામણીમાં નવા ફલેટોમાં 30 થી 40 ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે.

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ જાણકારો મુજબ, નારણપુરામાં મોટી સંખ્યામાં સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે ડેવલપર્સ પણ નારણપુરા વિસ્તારમાં રસ દાખવી રહ્યા છે.કારણ કે રીડેવલપમેન્ટ બાદ નવા ફલેટની કિંમતોમાં 30 થી 40 ટકાનો વધારો જાેવા મળી રહ્યા છે. જેમાં નારણપુરાની સૌથી પહેલી એકતા ફેસ્ટીવલમાં જુના ફલેટ 30 થી 40 લાખના એક ફલેટની સવા કરોડથી વધુ વેચાઈ રહ્યા છે.આ ઉપરાંત રામેશ્વર ફલેટમાં પણ ટુ બીએચકે જુના ફલેટ 40 થી 45 લાખના એક ફલેટની સામે નવા થ્રી બીએચકે ફલેટ સવા કરોડની આસપાસ વેચાઈ રહ્યા છે. 132 ફુટ રીંગ રોડ પર નિધી એપાર્ટેન્ટ (વિષ્ણુધારા) પ્રોજેકટમાં જુના ફલેટ 40 થી 45 લાખના એક ફલેટની સામે નવા ફલેટ સવા કરોડ એટલે 1.20 કરોડમાં વેચાણ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત નારણપુરામાં જ સુર્યા એપાર્ટમેન્ટ-1 માં રીડેવલપમેન્ટ બાદ નવા ટુ બીએચકે ફલેટ 60 લાખ વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે. સુર્યા એપાર્ટમેન્ટ-3 માં રીડેવલપમેન્ટ નવા ફલેટ 1.10 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે. 132 ફુટ રીંગ રોડ પર પ્રગતિનગર પાસે પત્રકાર હાઈટ્સ ટુ બીએચકે ફલેટ 55 થી 60 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે.શાસ્ત્રીનગર એમ-5 બ્લાકના રીડેવલપમેન્ટ બાદ જુના ફલેટની સામે નવા ફલેટની કિંમતમાં પણ ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. નવા વાડજમાં કિરણપાર્ક સોસાયટીમાં રીડેવલપમેન્ટ બાદ ટુ બીએચકે 50 થી 55 લાખ અને થ્રી બીએચકે 85 થી 90 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં એકતા એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ બાદ જુના ફલેટની સરખામણીમાં નવા ફલેટ 15 લાખ જેટલી થવા પામી છે, ઉપરાંત શિવશક્તિ ફલેટમાં પણ રીડેવલપેન્ટ બાદ નવા ફલેટની કિંમત 20 લાખ જેટલી થવા પામી છે. આમ જર્જરિત બાંધકામ, પાર્કિંગ, ગટર સહિતની સમસ્યાઓ સાથે કિંમતોમાં ભારે ઉછાળાને કારણે હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને ખાસ્સી એવી જાગૃતિ આવી છે. હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...