Saturday, April 4, 2026

નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ બાદ નવા ફ્લેટોની કિંમતમાં ભારે ઉછાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર, જે ગુજરાતનું આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાય છે, તેમાં છેલ્લા કેટલીક વર્ષોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ જાેવા મળ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા વિકસિત જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને કારણે શહેરની સ્કાયલાઈન બદલાઈ રહી છે. આ રીડેવલપમેન્ટ પછી જુના ફલેટની સરખામણીમાં નવા બનેલ ફ્લેટોની કિંમતોમાં ભારે વધારો થયો છે, જેનું કારણ આધુનિક સુવિધાઓ, વધુ FSI (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ) અને માંગ-પુરવઠાનું અસંતુલન છે.જેના કારણે શહેરીજનોમાં રીડેવલપમેન્ટનો ક્રેઝ વધ્યો હોવાનું જાણકારો માની રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સમગ્ર રાજયમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની 60 સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં ફક્ત અમદાવાદમાં જ 53 જેટલી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા પુરી કરી ડેવલપરની નિમણુંક કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 10 સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં કન્સ્ટ્રકશનની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. આ 10 સોસાયટીઓમાં રેરાની મંજુરી આવી જતા ડેવલપરોની દ્વારા મુળ લાભાર્થી સિવાય અન્ય નવા ફલેટોનું વેચાણ પણ શરૂ કર્યું છે.જેમાં સોસાયટીમાં જુના ફલેટની સરખામણીમાં નવા ફલેટોમાં 30 થી 40 ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે.

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ જાણકારો મુજબ, નારણપુરામાં મોટી સંખ્યામાં સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે ડેવલપર્સ પણ નારણપુરા વિસ્તારમાં રસ દાખવી રહ્યા છે.કારણ કે રીડેવલપમેન્ટ બાદ નવા ફલેટની કિંમતોમાં 30 થી 40 ટકાનો વધારો જાેવા મળી રહ્યા છે. જેમાં નારણપુરાની સૌથી પહેલી એકતા ફેસ્ટીવલમાં જુના ફલેટ 30 થી 40 લાખના એક ફલેટની સવા કરોડથી વધુ વેચાઈ રહ્યા છે.આ ઉપરાંત રામેશ્વર ફલેટમાં પણ ટુ બીએચકે જુના ફલેટ 40 થી 45 લાખના એક ફલેટની સામે નવા થ્રી બીએચકે ફલેટ સવા કરોડની આસપાસ વેચાઈ રહ્યા છે. 132 ફુટ રીંગ રોડ પર નિધી એપાર્ટેન્ટ (વિષ્ણુધારા) પ્રોજેકટમાં જુના ફલેટ 40 થી 45 લાખના એક ફલેટની સામે નવા ફલેટ સવા કરોડ એટલે 1.20 કરોડમાં વેચાણ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત નારણપુરામાં જ સુર્યા એપાર્ટમેન્ટ-1 માં રીડેવલપમેન્ટ બાદ નવા ટુ બીએચકે ફલેટ 60 લાખ વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે. સુર્યા એપાર્ટમેન્ટ-3 માં રીડેવલપમેન્ટ નવા ફલેટ 1.10 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે. 132 ફુટ રીંગ રોડ પર પ્રગતિનગર પાસે પત્રકાર હાઈટ્સ ટુ બીએચકે ફલેટ 55 થી 60 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે.શાસ્ત્રીનગર એમ-5 બ્લાકના રીડેવલપમેન્ટ બાદ જુના ફલેટની સામે નવા ફલેટની કિંમતમાં પણ ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. નવા વાડજમાં કિરણપાર્ક સોસાયટીમાં રીડેવલપમેન્ટ બાદ ટુ બીએચકે 50 થી 55 લાખ અને થ્રી બીએચકે 85 થી 90 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં એકતા એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ બાદ જુના ફલેટની સરખામણીમાં નવા ફલેટ 15 લાખ જેટલી થવા પામી છે, ઉપરાંત શિવશક્તિ ફલેટમાં પણ રીડેવલપેન્ટ બાદ નવા ફલેટની કિંમત 20 લાખ જેટલી થવા પામી છે. આમ જર્જરિત બાંધકામ, પાર્કિંગ, ગટર સહિતની સમસ્યાઓ સાથે કિંમતોમાં ભારે ઉછાળાને કારણે હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને ખાસ્સી એવી જાગૃતિ આવી છે. હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...