Wednesday, April 15, 2026

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ગોઠવવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ છે.સમયપત્રક પ્રમાણે 4 માર્ચના રોજ ધુળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. હવે શિક્ષણ બોર્ડ દ્વારા આ ભૂલને સુધારી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર, ધોરણ 12 સાયન્સનું જીવ વિજ્ઞાન (બાયોલોજી) પેપર તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પેપર એ દિવસે રાખવામાં આવ્યું હતું. જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓએ તે સામે અસંતુષ્ટી વ્યક્ત કરી હતી.ધુળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે ધુળેટીના 4 માર્ચના રોજ આયોજન કરાયેલા ધોરણ 10-12ની પરીક્ષાના પેપર માટે અન્ય તારીખ જાહેર કરવામાં આવી છે. 4 માર્ચે આયોજન કરાયેલું પેપરના ફેરફારની વાત કરવામાં આવે તો, ધોરણ 10નું 4 તારીખનું સામાજિક વિજ્ઞાનનું પેપર હવે 18 માર્ચે લેવાશે.

ધોરણ 12માં 4 માર્ચનું નામાના મૂળતત્વોનું પેપર 17 માર્ચે લેવાશે, જ્યારે ઇતિહાસ/જીવવિજ્ઞાન/કૃષિ રાસાયણશાસ્ત્ર/અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન/સામાજશાસ્ત્ર/ પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રનું પેપર 18 માર્ચે લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 4 તારીખનું પેપર 16 માર્ચે લેવાશે. સંસ્કૃત પ્રથમનું પેપર 16 માર્ચે લેવાશે.

આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. આ પરીક્ષાઓ 16 માર્ચે પૂર્ણ થવાની છે. પહેલા ટાઈમટેબલમાં 4 માર્ચે જાહેર રજાના દિવસે પેપર ગોઠવી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે જે સુધારેલો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડે ભૂલ સુધારી અને બોર્ડની પરીક્ષા 18 તારીખ સુધી લંબાવી છે તેમજ 4 તારીખની પરીક્ષા અન્ય તારીખોમાં સેટ કરતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...