Tuesday, April 21, 2026

જુના વાડજ જંક્શન પર 106 કરોડના ખર્ચે 4 લેન ફ્લાયઓવર અને 2 લેન અંડરપાસ બનશે, 30 મહિનામાં પૂરો થશે પ્રોજેક્ટ

spot_img
Share

અમદાવાદ : શહેરના જુના વાડજ જંક્શન ખાતે રુપિયા 106.52 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડરપાસ બનશે, એવું સિવિક બોડીએ સોમવારે જાહેર કર્યુ હતુ. આ યોજનાઓમાં વાડજ જંક્શનથી રાણીપ તરફ 735 મીટર ફ્લાયઓવર અને દધીચી બ્રિજથી અખબારનગર તરફ 417 મીટરનો અંડરપાસ સામેલ છે. જેથી આ વિસ્તારને લગભગ 30 મહિના સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવશે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિગતવાર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન બહાર પાડશે.

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનનાં જુના વાડજ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકોને આશ્રમ રોડ જેવા ટ્રાફિકની દૃષ્ટિએ હંમેશાં વ્યસ્ત રહેતા શહેરના રાજમાર્ગ પર સડસડાટ વાહન હંકારી જવા માટે ભારે રાહત મળશે. વાડજ જંક્શન પર ઇન્કમટેક્સથી રાણીપ બાજુએ 735 મીટર લંબાઈનો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજ પર 1:30નો લોંગીટ્યુડિનલ ગ્રેડિએન્ટ રાખવામાં આવ્યા છે.

આ સાથે જુના વાડજ સ્મશાન ગૃહથી આગળ ગાંધી આશ્રમથી આશ્રમ રોડ પર જઈ શકાય તે માટે ફ્લાય ઓવરબ્રિજ પર ચઢતી પાંખનું પણ આયોજન કરાયું છે. જેના કારણે સાઇલન્સ ઝોનમાં મુકાયેલા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમનો આશ્રમ રોડ સાથે સંપર્ક થઈ શકશે. આ ચડતી પાંખ કે વિંગ આશરે 5.5મીટર પહોળી અને 385.21 મીટર લાંબી બનાવાશે.

આ ઉપરાંત જુના વાડજથી દૂધેશ્વર તરફ જતા દધીચિ રિવરબ્રિજના વાડજ તરફના એપ્રોચથી ભીમજીપુરા તરફ જતો 417.97 મીટર લંબાઈનો અંડરપાસ પણ બનાવાશે. આ અંડરપાસ 9.50 મીટર પહોળો બનશે, જેમાં કેરેજ વેની પહોળાઈ 8.50 મીટર રાખીને બે લેન અંડરપાસનું આયોજન કરાયું છે. અહીં આ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ તેમજ અંડરપાસનો અંદાજિત ખર્ચ રૂ.106.52 કરોડનો છે.

વર્કઓર્ડર અપાયાના 30 મહિનામાં એટલે કે અઢી વર્ષમાં આ બ્રિજ પ્રોજેક્ટ માટે ઉપયોગી થઈ પડશે એટલે કે ઓક્ટોબર-2025 સુધીમાં બ્રિજ ધમધમતો થઈ જશે. જુના વાડજ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસનાં નિર્માણથી સાબરમતી, સુભાષબ્રિજ, આરટીઓ, રાણીપ, ચાંદખેડા, વાડજ, ભીમજીપુરા, અખબારનગર વગેરે વિસ્તારોના રોજના આશરે 2.25 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યાથી ખાસ્સી એવી રાહત મળશે. વર્કઓર્ડર મળ્યાના 30 મહિનામાં બ્રિજ તૈયાર થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...