Friday, March 13, 2026

જુના વાડજ જંક્શન પર 106 કરોડના ખર્ચે 4 લેન ફ્લાયઓવર અને 2 લેન અંડરપાસ બનશે, 30 મહિનામાં પૂરો થશે પ્રોજેક્ટ

spot_img
Share

અમદાવાદ : શહેરના જુના વાડજ જંક્શન ખાતે રુપિયા 106.52 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડરપાસ બનશે, એવું સિવિક બોડીએ સોમવારે જાહેર કર્યુ હતુ. આ યોજનાઓમાં વાડજ જંક્શનથી રાણીપ તરફ 735 મીટર ફ્લાયઓવર અને દધીચી બ્રિજથી અખબારનગર તરફ 417 મીટરનો અંડરપાસ સામેલ છે. જેથી આ વિસ્તારને લગભગ 30 મહિના સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવશે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિગતવાર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન બહાર પાડશે.

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનનાં જુના વાડજ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકોને આશ્રમ રોડ જેવા ટ્રાફિકની દૃષ્ટિએ હંમેશાં વ્યસ્ત રહેતા શહેરના રાજમાર્ગ પર સડસડાટ વાહન હંકારી જવા માટે ભારે રાહત મળશે. વાડજ જંક્શન પર ઇન્કમટેક્સથી રાણીપ બાજુએ 735 મીટર લંબાઈનો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજ પર 1:30નો લોંગીટ્યુડિનલ ગ્રેડિએન્ટ રાખવામાં આવ્યા છે.

આ સાથે જુના વાડજ સ્મશાન ગૃહથી આગળ ગાંધી આશ્રમથી આશ્રમ રોડ પર જઈ શકાય તે માટે ફ્લાય ઓવરબ્રિજ પર ચઢતી પાંખનું પણ આયોજન કરાયું છે. જેના કારણે સાઇલન્સ ઝોનમાં મુકાયેલા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમનો આશ્રમ રોડ સાથે સંપર્ક થઈ શકશે. આ ચડતી પાંખ કે વિંગ આશરે 5.5મીટર પહોળી અને 385.21 મીટર લાંબી બનાવાશે.

આ ઉપરાંત જુના વાડજથી દૂધેશ્વર તરફ જતા દધીચિ રિવરબ્રિજના વાડજ તરફના એપ્રોચથી ભીમજીપુરા તરફ જતો 417.97 મીટર લંબાઈનો અંડરપાસ પણ બનાવાશે. આ અંડરપાસ 9.50 મીટર પહોળો બનશે, જેમાં કેરેજ વેની પહોળાઈ 8.50 મીટર રાખીને બે લેન અંડરપાસનું આયોજન કરાયું છે. અહીં આ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ તેમજ અંડરપાસનો અંદાજિત ખર્ચ રૂ.106.52 કરોડનો છે.

વર્કઓર્ડર અપાયાના 30 મહિનામાં એટલે કે અઢી વર્ષમાં આ બ્રિજ પ્રોજેક્ટ માટે ઉપયોગી થઈ પડશે એટલે કે ઓક્ટોબર-2025 સુધીમાં બ્રિજ ધમધમતો થઈ જશે. જુના વાડજ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસનાં નિર્માણથી સાબરમતી, સુભાષબ્રિજ, આરટીઓ, રાણીપ, ચાંદખેડા, વાડજ, ભીમજીપુરા, અખબારનગર વગેરે વિસ્તારોના રોજના આશરે 2.25 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યાથી ખાસ્સી એવી રાહત મળશે. વર્કઓર્ડર મળ્યાના 30 મહિનામાં બ્રિજ તૈયાર થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...