Saturday, February 28, 2026

હાઉસિંગ રીડેવલપમેન્ટ મુદ્દે સામાન્ય પ્રશ્નોના સમાધાન માટે હાર્ફ દ્વારા હાઉસિંગ બોર્ડને સૂચનો..!!

spot_img
Share

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા સહિત સમગ્ર અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ડીમોલીશનથી લઈને કન્સ્ટ્રકશન લેવલે પહોંચી છે, છતાંય અનેક સોસાયટીઓમાં પાયાના મુળભૂત એવા પ્રશ્નો રીડેવલપમેન્ટમાં બાધારૂપ બની રહ્યાં છે, જેના કારણે રીડેવલપમેન્ટ માટે રહીશો તૈયાર હોવા છતા પોલીસીની ત્રુટીઓ અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓની કાર્યપદ્ધતિ અડચણરૂપ બની રહ્યાં છે.

જેમાં મુખ્યત્વે નેગેટીવ ટેન્ડર અને પોઝિટીવ ટેન્ડર વચ્ચેનો ભેદ, લાભાર્થીના ફ્રન્ટેજ અને ફલોર પ્રોટેકશન લાભ, હયાત કાર્પેટ અને વપરાશમાં લેવાતા કાર્પેટ, જુના મકાના માલિકો અને નવા મકાન માલિકોને ફાળવણી, પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા બોર્ડ અધિકારીદ્વારા 140 ટકા કાર્પેટની ખરાઈ સહિતના અનેક મુદ્દે હાઉસિંગ રીડેવલપમેન્ટ ખોરંભાય છે, જે બાબતો છણાવટ થાય તો રીડેવલપમેન્ટ ઝડપી બનશે.ઉપરોક્ત તમામ મુદ્દે હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનના સક્રિય સભ્ય સંદિપ ત્રિવેદી જણાવે છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ટેન્ડરમાં કોઈ બેઝ પ્રાઈસ નક્કી નહીં હોવાથી સારા લોકેશનમાં પણ નેગેટિવ પ્રીમિયમ આવે છે અને સરકારી તિજાેરીને નુકશાન મોટા પાયે થાય છે.

સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવાની વાત આવે તો સરકારી તિજાેરીને નુકશાન થાય તેવું અધિકારીઓ અને રાજકીય આગેવાનો જણાવે છે તો અહીં મોટા પાયે સરકારી તિજાેરીને નુકશાન થાય છે તે કેમ કોઈને દેખાતું નથી. નેગેટીવ પ્રીમિયમથી કોર્પોરેશનની સરકારી તિજાેરીને આવક ને નુકશાન થાય જ છે. ટેન્ડર એસ્ટીમેટેડ વેલ્યુ, બિડ વેલ્યુ અને ટેન્ડર બિડ જસ્ટીફાય વેલ્યુ ની કોઈ ગણતરી કે ફોર્મ્યુલા બોર્ડમાં કઈ છે તે માંગણી કરીએ તો તેવી કોઈ ફોર્મ્યુલા કે કોષ્ટક નથી તેવું બોર્ડ અધિકારી જણાવે છે તો આ ગણતરી જસ્ટીફાય કેવી રીતે થાય છે. શું તે મૌખિક થાય છે તો કેમ મૌખિક કરાય છે? રાજ્યની સ્ક્રીનીંગ કમિટીને કંઈક તો લેખિત આપે છે કે ત્યાં પણ મૌખિક! આવી બાબતોમાં કંઈક લોચા હોય અને મોટા ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ ઘણી રહેલી છે.

જેથી પ્રજામાં કોઈ ગેરસમજ ઉભી થાય નહીં માટે બધા જ ટેન્ડર બેઝ પ્રાઈઝ કરી દેવા જાેઈએ અને તેથી ઉપર હરિફાઈ કરાવાય કે પછી બધા ટેન્ડર નેગેટીવ જ પાડવા જાેઈએ અને પબ્લીકને હાર્ડશિપ કોમ્પેન્સેશન તરીકે સારી એવી રકમ ચેકથી આપવી જાેઈએ.

રીડેવલપમેન્ટ બાબતે કેટલાક પ્રશ્નોના સમાધાન માટેના કેટલાક સૂચનો હાર્ફના સક્રિય સભ્ય દ્વારા સૂચવેલ છે.

0.ટેન્ડર પ્રકાશિત કરતા પહેલા જે તે સોસાયટી હયાત કાર્પેટ કેટલો છે તેની ગણતરી કેવી રીતે થાય છે અને કેટલું મળવાપાત્ર છે તે જણાવી એસોસિએશન પાસેથી લેખિત કન્ફર્મ કરવી લેવું.

1.ગુ. હા.બોર્ડ દ્વારા મહત્તમ ૧૪૦% કાર્પેટ ની સ્પષ્ટ વ્યાખ્યા અને તેમાં વપરાશમાં લેવાતા કાર્પેટમાં શું ગણાશે અને કેવી રીતે કાર્પેટ ગણાશે તેની ચોખવટ કરી દેવી, અને તે અનુસંધાને ફાળવણી પીએચસી કે એફએસસી કોને કરવી તેની સચોટ ચોખવટ કરી દેવી.

2.પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા મહત્તમ ૧૪૦% કાર્પેટની ખરાઈ કાર્યપાલક ઇજનેર દ્વારા થઈ જવી જાેઈએ.

3.પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા બોર્ડ અધિકારી દ્વારા મહત્તમ ૧૪૦% મર્યાદાવાળા ખરાઈ થયેલ મકાનોમાં જ તમામ સંમત કે અસંમત પી.એચ.સી સભ્યોને મકાન ફાળવાયા છે તેની ખરાઈ થઈ જવી જાેઈએ.

4.ફ્રન્ટેજ અને ફ્લોર પ્રોટેક્શન લાભ લાભાર્થીના જળવાઈ ગયા છે તેની ખરાઈ પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા બોર્ડ અધિકારી દ્વારા થઈ જવી જાેઈએ.

5.ઉપરોક્ત પોઇન્ટ 1, 2, 3 અને 4 ની ખરાઈ કર્યા બાદ તે બાબતે એક ફિક્સ ફોર્મેટમાં એનેક્ષર બનાવી સોસાયટી સભ્યો પાસેથી તેમાં ફાળવણી મજૂરીની સહી કરાવવી. કુલ સભ્યોમાંથી ૭૫% કે તેથી વધુ સભ્યોના સહી થયેલ આ એનેક્ષર ને જ ટ્રાઇ પાર્ટી એગ્રીમેન્ટનો ભાગ બનાવી દેવો જાેઈએ.

જાે આ રીતે કાર્ય થાય તો ભવિષ્યમાં કોઈ પણ સોસાયટીમાં ફાળવણી ફેરબદલ કરવાની સમસ્યા આવે જ નહીં.

તેઓએ છેલ્લે આશા વ્યક્ત કરી છે કે ઉપરોક્ત સૂચનો બોર્ડ કચેરીને કોઈ નિશ્ચિત સિસ્ટમ બનાવવામાં મદદરૂપ નીવડશે, જે જનહિતમાં પ્રબળ ઈચ્છાશક્તિને આભારી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...