Friday, November 28, 2025

વાહનચાલકો ધ્યાન રાખજો ! અમદાવાદના આ 3 બ્રિજ શનિવારે રાતે 11થી સવારે 6 સુધી બંધ રહેશે, વૈકલ્પિક રૂટ જાહેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેઈન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રિના સમયે કેટલાક રસ્તા બંધ રહેશે. આ કામગીરીના કારણે ગાંધી બ્રિજ, શાહીબાગ અંડરપાસ અને કેડિલા બ્રિજ વાહનચાલકો માટે રાત્રિના સમયે બંધ રહેશે. શહેરીજનોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય બ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીનો સમયગાળો અલગ-અલગ છે, જેની વિગતો નીચે મુજબ છે.

1. ગાંધી બ્રિજ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી, દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. દિલ્હી દરવાજાથી ઈન્કમટેક્સ તરફ જતો બ્રિજનો એક તરફનો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો ઈન્કમટેક્સથી દિલ્હી દરવાજા તરફના બ્રિજના બીજા એક તરફના રસ્તાનો ઉપયોગ અવરજવર માટે કરી શકશે.

2. શાહીબાગ અંડરપાસ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. આ અંડરપાસ પરના રેલવેના પાટાની મજબૂતાઈ વધારવા માટે જૂની અને જર્જરિત પ્લેટો કાઢીને નવી પ્લેટો લગાવવામાં આવશે. વૈકલ્પિક રૂટ: એરપોર્ટ/ગાંધીનગર તરફ જતા, વાહનચાલકો: શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરીને ડફનાળા તરફ જઈ શકશે. એરપોર્ટ/ગાંધીનગરથી આવતા વાહનચાલકો: ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને આગળ ગમે તે રસ્તે જઈ શકશે. શાહીબાગ આસપાસથી અવરજવર કરનારા લોકો આચાર્ય મહાપ્રજ્ઞાની બ્રિજનો પણ ઉપયોગ કરી શકશે.

3. કેડિલા બ્રિજ
કામગીરીનો સમય: કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી, રાતના સમયે બંધ રહેશે. બ્રિજની ઉપરના ભાગના પિલરો પર સેગમેન્ટ (ખંડ) લગાવવાની કામગીરી ચાલુ છે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો BRTS ની બાજુમાં આવેલા બંને સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે. અન્ય વાહનચાલકો બ્રિજના એક બાજુના રસ્તાનો વારાફરતી ઉપયોગ કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...