Saturday, April 25, 2026

વાહનચાલકો ધ્યાન રાખજો ! અમદાવાદના આ 3 બ્રિજ શનિવારે રાતે 11થી સવારે 6 સુધી બંધ રહેશે, વૈકલ્પિક રૂટ જાહેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેઈન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રિના સમયે કેટલાક રસ્તા બંધ રહેશે. આ કામગીરીના કારણે ગાંધી બ્રિજ, શાહીબાગ અંડરપાસ અને કેડિલા બ્રિજ વાહનચાલકો માટે રાત્રિના સમયે બંધ રહેશે. શહેરીજનોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય બ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીનો સમયગાળો અલગ-અલગ છે, જેની વિગતો નીચે મુજબ છે.

1. ગાંધી બ્રિજ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી, દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. દિલ્હી દરવાજાથી ઈન્કમટેક્સ તરફ જતો બ્રિજનો એક તરફનો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો ઈન્કમટેક્સથી દિલ્હી દરવાજા તરફના બ્રિજના બીજા એક તરફના રસ્તાનો ઉપયોગ અવરજવર માટે કરી શકશે.

2. શાહીબાગ અંડરપાસ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. આ અંડરપાસ પરના રેલવેના પાટાની મજબૂતાઈ વધારવા માટે જૂની અને જર્જરિત પ્લેટો કાઢીને નવી પ્લેટો લગાવવામાં આવશે. વૈકલ્પિક રૂટ: એરપોર્ટ/ગાંધીનગર તરફ જતા, વાહનચાલકો: શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરીને ડફનાળા તરફ જઈ શકશે. એરપોર્ટ/ગાંધીનગરથી આવતા વાહનચાલકો: ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને આગળ ગમે તે રસ્તે જઈ શકશે. શાહીબાગ આસપાસથી અવરજવર કરનારા લોકો આચાર્ય મહાપ્રજ્ઞાની બ્રિજનો પણ ઉપયોગ કરી શકશે.

3. કેડિલા બ્રિજ
કામગીરીનો સમય: કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી, રાતના સમયે બંધ રહેશે. બ્રિજની ઉપરના ભાગના પિલરો પર સેગમેન્ટ (ખંડ) લગાવવાની કામગીરી ચાલુ છે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો BRTS ની બાજુમાં આવેલા બંને સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે. અન્ય વાહનચાલકો બ્રિજના એક બાજુના રસ્તાનો વારાફરતી ઉપયોગ કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...