Sunday, January 18, 2026

વાહનચાલકો ધ્યાન રાખજો ! અમદાવાદના આ 3 બ્રિજ શનિવારે રાતે 11થી સવારે 6 સુધી બંધ રહેશે, વૈકલ્પિક રૂટ જાહેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેઈન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રિના સમયે કેટલાક રસ્તા બંધ રહેશે. આ કામગીરીના કારણે ગાંધી બ્રિજ, શાહીબાગ અંડરપાસ અને કેડિલા બ્રિજ વાહનચાલકો માટે રાત્રિના સમયે બંધ રહેશે. શહેરીજનોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય બ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીનો સમયગાળો અલગ-અલગ છે, જેની વિગતો નીચે મુજબ છે.

1. ગાંધી બ્રિજ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી, દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. દિલ્હી દરવાજાથી ઈન્કમટેક્સ તરફ જતો બ્રિજનો એક તરફનો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો ઈન્કમટેક્સથી દિલ્હી દરવાજા તરફના બ્રિજના બીજા એક તરફના રસ્તાનો ઉપયોગ અવરજવર માટે કરી શકશે.

2. શાહીબાગ અંડરપાસ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. આ અંડરપાસ પરના રેલવેના પાટાની મજબૂતાઈ વધારવા માટે જૂની અને જર્જરિત પ્લેટો કાઢીને નવી પ્લેટો લગાવવામાં આવશે. વૈકલ્પિક રૂટ: એરપોર્ટ/ગાંધીનગર તરફ જતા, વાહનચાલકો: શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરીને ડફનાળા તરફ જઈ શકશે. એરપોર્ટ/ગાંધીનગરથી આવતા વાહનચાલકો: ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને આગળ ગમે તે રસ્તે જઈ શકશે. શાહીબાગ આસપાસથી અવરજવર કરનારા લોકો આચાર્ય મહાપ્રજ્ઞાની બ્રિજનો પણ ઉપયોગ કરી શકશે.

3. કેડિલા બ્રિજ
કામગીરીનો સમય: કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી, રાતના સમયે બંધ રહેશે. બ્રિજની ઉપરના ભાગના પિલરો પર સેગમેન્ટ (ખંડ) લગાવવાની કામગીરી ચાલુ છે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો BRTS ની બાજુમાં આવેલા બંને સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે. અન્ય વાહનચાલકો બ્રિજના એક બાજુના રસ્તાનો વારાફરતી ઉપયોગ કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...