Wednesday, January 21, 2026

AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, શહેરના જાણીતા 27 નમકીન અને ફરસાણની બ્રાન્ડને નોટિસથી ખળભળાટ, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : AMC ના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 27 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમ મુજબ પ્રતિદિન 50 લિટરથી વધુ તેલનો ઉપયોગ કરતા હોય તેવા એકમોએ તેલના વપરાશ અને ઉપયોગમાં લેવાયેલ તેલ અંગે રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. બળેલું તેલ, બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા એકમને આપવાનું હોય છે. FSSAI ની ગાઈડલાઈન અનુસાર દૈનિક 50 લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા એકમોને આપવામાં આવેલ Improvement Notice થી ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC ના ફૂડ વિભાગ દ્વારા જુદાજુદા એકમોમાં તપાસ કરતા કેટલાક એકમમાં આ નિયમનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા લિજ્જત ખમણ મણિનગર, મહેતા સ્વીટ, મણિનગર, સમ્રાટ નમકીન, નરોડા આ ઉપરાંત રાયપુર ભજીયા, રાયપુર આસ્ટોડિયા ભજીયા, આસ્ટોડિયા ગ્વાલિયા સ્વીટ. નરોડા સહિતના 27 એકમોને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ જરૂરી રજીસ્ટર મેન્ટેન કરી નિયત એજન્સીઓને જ બળેલું તેલ આપવા તાકીદ કરી હતી.

ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, વારંવાર ખાદ્ય તેલને ગરમ કરતાં તેમાં Total Polar Compounds (TPC) વધે છે. TPC 25% થી ઉપર જેટલા વધે ત્યારે ખાદ્ય તેલ માનવ સેવન માટે અસુરક્ષિત બની જાય છે. આવા ખાદ્ય તેલના સેવનથી હૃદય રોગ, લિવર સંબંધિત રોગો થવાની સંભાવના વધી શકે છે.

ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દૈનિક 50 લીટર અથવા તેથી વધુ કુકિંગ ઓઈલ વાપરતા મોટા ફૂડ બિઝનેશ ઓપરેટર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જેમાં તેઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય તેલના ટોટલ પોલર કમ્પાઉન્ડ 25 % થી ન વધે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા અનુસાર આ યુનિટો દ્વારા વપરાશ કરેલ ખાદ્ય તેલ નિયત કરવામાં આવેલ એજન્સીઓને કે જેઓ બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલ હોય તેઓને જ આપવાનું જણાવવામાં આવેલ છે, જેથી વપરાશ કરેલ ખાદ્ય તેલ ફરીથી ખાદ્ય ચીજવસ્તુઓની બનાવટમાં ઉપયોગ ન થાય. તે અંગેનું દૈનિક રજીસ્ટર તેઓની કક્ષાએ નિભાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.

આજ રોજ AMC ના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં દૈનિક ૫૦ લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા યુનિટોની ચકાસણી કરવામાં આવી, આ ચકાસણી દરમ્યાન મળેલ ક્ષતિઓ બાબતે એક્ટની કલમ નં-૩૨ અંતર્ગત Improvement Notice આપવામાં આવેલ છે અને દિન-૭ માં સદર બાબતોના પાલન માટે સુચના આપવામાં આવેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...