Tuesday, January 20, 2026

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, આ રીતે થયો પર્દાફાશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને હાથફેરો થયાની ઘટના સામે આવી છે. અહીં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. આ અંગે દુકાનદાર કૃણાલભાઈએ પોલીસમાં ચોરીની ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 25 નવેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક તરીકે શોરૂમમાં આવી હતી. તેમણે સ્ટાફને વિવિધ પંજાબી ડ્રેસ દેખાડવા કહ્યું. સ્ટાફ દ્વારા કલેક્શન બતાવવામાં આવ્યું પછી ત્રણેય મહિલાઓ વારમાંવાર ટ્રાયલ રૂમમાં જવા લાગી. ટ્રાયલ રૂમમાં પ્રવેશતી વખતે તેઓ એક જોડી ડ્રેસ લેવાની જગ્યાએ બે જોડી લઈ જતી હતી. ટ્રાયલ કરીને તેઓ બહાર આવતા ત્યારે સ્ટાફને માત્ર એક જ ડ્રેસ પાછો આપતા અને બીજો ડ્રેસ પોતાની પાસે જ છુપાવી લેતા. આ પ્રક્રિયા ખૂબ કુશળતાથી ચાલી રહી હતી, જેથી દુકાનના કર્મચારીઓને પણ તરત શંકા ન થાય. થોડા સમય બાદ મહિલાઓ કોઈ ખરીદી કર્યા વગર દુકાનમાંથી નીકળી ગઈ હતી.

આ ઘટનાના બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક તપાસવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની કુલ પાંચ જોડી ઓછી હોવાનું માલિકની નજરે ચડ્યું. શરૂઆતમાં સ્ટાફને લાગ્યું કે, કદાચ બીજે ક્યાંક રાખવામાં ભૂલ થઈ હશે,પરંતુ શોધ કર્યા છતાં ડ્રેસ મળી ન આવતા સ્થિતિ શંકાસ્પદ લાગી. કૃણાલભાઈએ સ્ટાફ સાથે મળીને તરત જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યું. રેકોર્ડ થયેલા દ્રશ્યો જોયા પછી મહિલાઓની કરામત સામે આવી. તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે, મહિલાઓ એકબીજાને સહકાર આપી ટ્રાયલ રૂમમાં ડ્રેસ ચોરી રહી હતી. કુલ પાંચ જોડી ડ્રેસની કિંમત આશરે 15 હજાર રૂપિયા જેટલી થતી હતી.

ચોરીને અંજામ આપ્યા બાદ, આ મહિલાઓ કોઈ પણ ખરીદી કર્યા વગર તરત જ શોરૂમમાંથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે શોરૂમ સ્ટાફે ડ્રેસનો સ્ટોક ચેક કર્યો, ત્યારે તેમને પાંચ ડ્રેસની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. શોરૂમ માલિકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર મહિલાઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...