Wednesday, March 4, 2026

અમદાવાદમાં હિટ એન્ડ રનના કેસ મામલો, બાઈકસવારને ટક્કર મારી ફરાર પોલીસમેનની ધરપકડ, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શાહીબાગમાં આવેલા શિલાલેખ ચાર રસ્તા પાસે થોડા દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારચાલકે પુરઝડપે ટર્ન લેતા બાઇકચાલકને ટક્કર મારી હતી.અકસ્માતમાં બાઇકચાલક રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરનાર કારચાલક રિવરફ્રન્ટ તરફ નાસી ગયો હતો.બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 19 જૂનના રોજ દેવેન્દ્રભાઇ સંખવાર બાઇક લઇને કમિશનર કચેરી તરફથી સુભાષબ્રિજ તરફથી થઇને ઘરે જતા હતા. દેવેન્દ્રભાઇ શિલાલેખ ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલી કારના ચાલકે અચાનક ડાબી બાજુ પૂર ઝડપે ટર્ન લીધો હતો જેના કારણે દેવેન્દ્રભાઇ બાઇક સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરીને કારચાલક રિવરફ્રન્ટ તરફ ભાગી ગયો હતો.

ચોકાવનારી વાત એ છે કે આ હિટ એન્ડ રનનો આરોપી કાર ચાલક પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો. આરોપીનું નામ દિગ્વિજયસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે, જે હાલ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.ઘટના પછી એલ ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દિગ્વિજયસિંહ ગોહિલની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાએ અમદાવાદ શહેરમાં સુરક્ષા અને જવાબદારીના મુદ્દે ફરીથી સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે સુરક્ષા આપનારા જ નિયમોનો ભંગ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...