Sunday, January 25, 2026

અમદાવાદ DEO દ્વારા અપાયા આદેશ, મંજૂરી વગર બાળકોને પ્રવાસે લઈ ગયા તો થશે શિક્ષાત્મક કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત બાદ અમદાવાદના શિક્ષણ અધિકારી એક્શન મોડમાં દેખાયા છે. તેમણે શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. DEOની મંજૂરી વગર બાળકોને પ્રવાસ લઈ જવા પર કાયદેસરની કાર્યવાહી થશેનો આદેશ અપાયો છે.

વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની શાળાઓને સ્કુલ પ્રવાસને લઈને કડક સુચનાઓ આપવામાં આવી છે. જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનાને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ આપવામા આવે છે, તે તમામ સૂચનાઓથી ફરીથી તેમને વાકેફ કરીએ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવી છે.

પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે. અને પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે. કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહી ખેડી શકે તેવી પણ સુચના આપવામા આવી છે. અને જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી પણ રદ થઈ શકે છે.

જાણકારી મુજબ શાળાઓમાં લોકલ પ્રવાસ દરમ્યાન પણ મંજૂરી લેવાની હોય છે. પ્રવાસની મંજૂરી જીલ્લા કક્ષાએથી મેળવવાની હોય છે. તેમજ જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટસ વગેરે હોય તે હોવા જરૂરી છે. સાથે જ શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...