Saturday, January 24, 2026

સ્માર્ટસીટીના સ્ટેડીયમ વોર્ડની અનેક સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શિયાળાની ઠંડીના પ્રારંભ સાથે જ ઠેર ઠેરથી પાણીની તંગીની ફરિયાદો ઉઠવા માંડી છે. બીજી તરફ પ્રદૂષિત પાણીની ફરિયાદોમાં અસામાન્ય વધારો થયો છે.ત્યારે આવી જ વધુ એક ઘટના શહેરના સ્ટેડીયમ વોર્ડમાંથી સામે આવી છે. જેમાં સ્ટેડીયમ વોર્ડમાં આવેલ વિવિધભારતી સોસાયટીઓમાં પીવાનું પાણી ડહોળું આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સ્ટેડીયમ વોર્ડમાં આવેલ વિવિધભારતી સોસાયટીઓમાં પીવાનું પાણી ડહોળું આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ વિસ્તારના રહેવાસી કિરીટસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમારે ખરાબ પાણી આવે છે અને એ જ પાણી ટાંકામાં આવે છે. ત્યારે આ પાણી પીવું કઈ રીતે ? ઘરે ઘરે બધાને ફિલ્ટરની વ્યવસ્થા હોય તે જરૂરી નથી. આવા પ્રદૂષિતના પાણી પીને રોગચાળો ફેલાવવાની દહેશત છે. સમગ્ર મામલે સ્થાનિકોનો આરોપ છે કે, આ મામલે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે. છતાં કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે આ મામલે મનપા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી થવી જરૂરી છે.

સ્માર્ટસીટીમાં કહેવાતા વિકાસ છતાં અમદાવાદના કેટલાક વોર્ડમાં હાલમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર પીવાનુ શુધ્ધ પાણી લોકો સુધી પહોંચાડી શકતુ નથી.બીજી તરફ અનેક એવા વોર્ડ છે કે જયાં ડ્રેનેજ કે પાણીની લાઈન લીકેજ હોવાની કે બંને લાઈન મીક્ષ થવાથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની જે તે વોર્ડ વિસ્તારના રહીશો દ્વારા મ્યુનિસિપલ તંત્ર સમક્ષ સી.સી.આર.એસ.સિસ્ટમથી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે છે. આ ફરિયાદોનુ સમયસર નિરાકરણ લાવવામાં આવતુ નહીં હોવાથી અમદાવાદના કેટલાક વોર્ડમાં કોલેરાના કેસ વીતેલા વર્ષમાં નોંધાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...