Sunday, January 25, 2026

અમદાવાદીઓ સાવધાન, શહેરમાં રોડ પર વાહન પાર્ક કરશો તો AMC લોક મારી દેશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી AMC દ્વારા રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને ગેરકાયદેસર પાર્કિંગ મામલે મ્યુનિસિપલ કમિશનરે કડક આદેશ આપ્યા છે. શહેરમાં આવેલા તમામ ઝોનમાં ગેરકાયદેસર પાર્કિંગ થતા હોય એવા રોડ નો ડેટા તૈયાર કરવામાં આવશે. રોડ ઉપર ગેરકાયદેસર કેટલી ગાડીઓ પાર્ક થાય છે તેની સંખ્યા સાથે કરી ડેટા તૈયાર કરવા સૂચના અપાઈ છે. જેના આધારે આગામી દિવસોમાં પાર્કિંગ મામલે યોગ્ય આયોજન કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC કમિશનરે ગેરકાયદેસર વાહન પાર્કિંગ મામલે એસ્ટેટ વિભાગના અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. લોકો ગમે ત્યાં રોડ ઉપર વાહન પાર્ક કરી દે છે જેના કારણે રોડ પર ચાલવાથી લઈને અવરજવર કરતા વાહનોને પણ તકલીફ પડે છે. આવા ગેરકાયદેસર વાહન પાર્કિંગ કેટલી જગ્યાએ થાય છે અને મહત્વના કયા એવા રોડ આવેલા છે. જ્યાં લોકો સૌથી વધારે વાહનો રોડ ઉપર મૂકી ગેરકાયદેસર પાર્કિંગ કરે છે. આ તમામ બાબતોનો સર્વે કરી અને વાહનોની સંખ્યા સાથેનો ડેટા તૈયાર કરવામાં આવશે. ગેરકાયદેસર પાર્કિંગ મામલે વાહનોને લોક મારી કરવાની સૂચના પણ AMC કમિશનરે આપી છે. જેના માટે 1000 નવા લોક ઝડપથી મેળવીને કડકમાં કડક કરવામાં આવશે.

એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં રોજના વિવિધ વિસ્તારોમાં 25થી વધુ નો અને લોક મારી તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં રોજના કુલ 300થી વધુ વાહનોને લોક મારવાની કામગીરી કરવામાં આવે છે અને દંડ વસૂલવાની કાર્યવાહી કરાય છે. શહેરમાં આવેલા તમામ ગાડીઓના ગેરેજ અને સર્વિસ સેન્ટરોનો પણ સર્વે કરવામાં આવશે કારણ કે આવા વાહનો પણ રોડ ઉપર વધારે મૂકવામાં આવે છે જેના કારણે વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે. મધ્ય ઝોનમાં આવતા જમાલપુર, ભદ્ર, લાલ દરવાજા, ખાડિયા, માણેકચોકના વિસ્તારોમાં પણ સ્વચ્છતા સ્કવોડને અને એસ્ટેટ વિભાગની ટીમને ગેરકાયદેસર દબાણો તેમજ સ્વચ્છતા મામલે કાર્યવાહી કરવા માટેની સુચના પણ સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...