અમદાવાદ : શહેરમાં ખાણીપીણીનો વ્યવસાય કરનારા સામે કડકાઇથી કામ લેવાની AMC કમિશનરની તાકીદ બાદ ફૂડ વિભાગે જુદા જુદા વિસ્તારમાં ચાર રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને તેમાં પ્રહલાદનગર ખાતેની ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ મારી દીધા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિ.ફૂડ વિભાગ દ્વારા શહેરના પ્રહલાદનગર ચાર રસ્તા પાસે આવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ કરી છે. તેમજ ખમણી અને મીઠી ચટણીનો નમુનો લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યો છે. જ્યારે મણિનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે આવેલા જલારામ પરાઠા હાઉસમાં પણ ગંદકી અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ શંકાસ્પદ જણાતા દાળ અને મંચુરિયનનો નમુનો લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. ચેકિંગ બાદ જલારામ પરાઠા હાઉસને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા એસજી હાઇવે પર શપથ 3માં આવેલા અંકલ ડોનલ પિત્ઝા અને મણીનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે સ્વપ્ન કોમ્પ્લેક્સમાં રીયલ પૅપ્રિકા પિત્ઝા ખાતે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બંને જગ્યાએ જાહેર આરોગ્યનાહિત અંગેનું પાલન ન કરવામાં આવતા રૂપિયા 15-15 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.


