Monday, March 16, 2026

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટને લઈને ગાંધી આશ્રમ રોડ કાયમી બંધ, આ નવો વૈકલ્પિક રોડ ખુલ્લો મુકાશે

spot_img
Share

અમદાવાદ : દેશ-દુનિયામાં ઓળખ ધરાવતાં એવા ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમને 1200 કરોડથી વધુના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે આશ્રમ રોડ પરના કાર્ગો મોટર્સથી બત્રીસી ભવન સુધીના 500 મીટરનો રોડ કાયમી ધોરણે બંધ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે મંજૂર કરી હતી. 1970માં બનેલો આ રોડ હવે કાયમી બંધ થશે. આ રોડના બદલે લોકો પ્રબોધ રાવળ બ્રિજથી વાડજ પરીક્ષિતલાલ બ્રિજ વચ્ચેના નવા બનેલા રોડનો ઉપયોગ કરી શકશે.

મ્યુનિ. અધિકારીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 55 એકરમાં ફેલાયેલા ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. જે દિવસે ખાતમુહૂર્ત કરાશે તે દિવસથી ગાંધી આશ્રમ રોડ બંધ કરી દેવાશે.વૈકલ્પિક માર્ગ તરીકે ગાંધી આશ્રમ નજીક આવેલા કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ રોડ બનાવવામાં આવ્યો છે. આગામી 12 માર્ચે નવા રોડને ખુલ્લો મુકતા વાહનચાલકોએ રાણીપ ST બસ સ્ટેન્ડ અને આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ તરફ જવું પડશે.

તમને જણાવી દઈએ કે સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. જેથી ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. જેના માટે કોર્પોરેશન દ્વારા આસપાસમાં રહેતા લોકો અને હોટેલ રેસ્ટોરન્ટના વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 500 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...