Tuesday, April 28, 2026

મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટુંક સમયમાં દોડતી થશે

spot_img
Share

અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ શુક્રવારે ગાંધીનગર અને મોટેરા વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કર્યા છે. ગુરુવારે, પ્રથમ ટ્રેનો અને એન્જિનો રોલઆઉટ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં આ માર્ગને મુસાફરોની અવરજવર માટે ખોલવાની યોજના બનાવી છે. આ મહિનાની શરૂઆતમાં, તેઓએ મોટેરાથી સેક્ટર-1 સુધીના ટ્રેકની જાહેરાત કરી હતી, જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ને જોડે છે.

અમદાવાદ મેટ્રોના પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રીટ્રાયલ રન શરૂ કરાયો છે. અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટી વધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા શુક્રવારે અમદાવાદ-ગાંધીનગર બીજા તબક્કાના પ્રોજેક્ટ માટે ટ્રાયલ રનની શરૂઆત કરી હતી. આ ટ્રાયલ રન GNLU અને ધોળા કુવા વચ્ચે યોજાયો હતો. હાલમાં અમદાવાદમાં મેટ્રો ચાલી રહી છે અને તેને ભવિષ્યમાં ગાંધીનગર સુધી લંબાવવાની છે. જેના માટે હજી કામ ચાલી રહ્યું છે. જોકે, આ દરમિયાન બંને શહેરો વચ્ચે ટ્રાયલ રન યોજાયો છે. અમદાવાદ-ગાંધીનગર બીજા તબક્કાના પ્રોજેક્ટ 28 કિલોમીટરના અંતરમાં ફેલાયો છે અને તેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે.

નોંધપાત્ર રીતે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી વિસ્તરેલો 21 કિલોમીટરનો પ્રાયોરિટી સેક્શન પ્રોજેક્ટના ફોકસને હાઈલાઈટ કરે છે. આ પ્રોજેક્ટને હાલમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ય્સ્ઇઝ્ર મેટ્રો રેલ સુરક્ષા કમિશનર સાથે વેરિફિકેશન પ્રક્રિયા સાથે આગળ વધશે. ત્યારબાદ મે-જૂનમાં તેના કોમર્શિયલ ઓપરેશન્સ શરૂ થવાની અપેક્ષા છે. બીજા તબક્કાના ૨૨ સ્ટેશનોમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળ કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

આ ટ્રાયલ સફળ રહ્યા બાદ જરૂરી પરવાનગી મેળવ્યા બાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે. ગાંધીનગરને મેટ્રો મળતા અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટીમાં ઉમેરો થશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોને ઘણો ફાયદો થશે. ગાંધીનગરવાસીઓને જલ્દી મેટ્રો મળે તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ કામ બહુ જલ્દી પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...