Tuesday, January 20, 2026

મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટુંક સમયમાં દોડતી થશે

spot_img
Share

અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ શુક્રવારે ગાંધીનગર અને મોટેરા વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કર્યા છે. ગુરુવારે, પ્રથમ ટ્રેનો અને એન્જિનો રોલઆઉટ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં આ માર્ગને મુસાફરોની અવરજવર માટે ખોલવાની યોજના બનાવી છે. આ મહિનાની શરૂઆતમાં, તેઓએ મોટેરાથી સેક્ટર-1 સુધીના ટ્રેકની જાહેરાત કરી હતી, જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ને જોડે છે.

અમદાવાદ મેટ્રોના પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રીટ્રાયલ રન શરૂ કરાયો છે. અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટી વધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા શુક્રવારે અમદાવાદ-ગાંધીનગર બીજા તબક્કાના પ્રોજેક્ટ માટે ટ્રાયલ રનની શરૂઆત કરી હતી. આ ટ્રાયલ રન GNLU અને ધોળા કુવા વચ્ચે યોજાયો હતો. હાલમાં અમદાવાદમાં મેટ્રો ચાલી રહી છે અને તેને ભવિષ્યમાં ગાંધીનગર સુધી લંબાવવાની છે. જેના માટે હજી કામ ચાલી રહ્યું છે. જોકે, આ દરમિયાન બંને શહેરો વચ્ચે ટ્રાયલ રન યોજાયો છે. અમદાવાદ-ગાંધીનગર બીજા તબક્કાના પ્રોજેક્ટ 28 કિલોમીટરના અંતરમાં ફેલાયો છે અને તેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે.

નોંધપાત્ર રીતે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી વિસ્તરેલો 21 કિલોમીટરનો પ્રાયોરિટી સેક્શન પ્રોજેક્ટના ફોકસને હાઈલાઈટ કરે છે. આ પ્રોજેક્ટને હાલમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ય્સ્ઇઝ્ર મેટ્રો રેલ સુરક્ષા કમિશનર સાથે વેરિફિકેશન પ્રક્રિયા સાથે આગળ વધશે. ત્યારબાદ મે-જૂનમાં તેના કોમર્શિયલ ઓપરેશન્સ શરૂ થવાની અપેક્ષા છે. બીજા તબક્કાના ૨૨ સ્ટેશનોમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળ કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

આ ટ્રાયલ સફળ રહ્યા બાદ જરૂરી પરવાનગી મેળવ્યા બાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે. ગાંધીનગરને મેટ્રો મળતા અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટીમાં ઉમેરો થશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોને ઘણો ફાયદો થશે. ગાંધીનગરવાસીઓને જલ્દી મેટ્રો મળે તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ કામ બહુ જલ્દી પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...