Thursday, January 22, 2026

અમદાવાદમાં AMCના ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરની ACB ની ટીમે લાંચનુ છટકુ ગોઠવી કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) પૂર્વ ઝોનમાં ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટરને રૂ.40,000ની લાંચ લેતા એન્ટીકરપ્શન બ્યુરો ની ટીમે રંગે હાથ ઝડપી લીધા છે. ફરીયાદી વ્યક્તિ વટવા GIDC અમદાવાદ ખાતે ઇલેક્ટ્રીક પેનલ બનાવવાનો વ્યવસાય કરે છે. જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસમાં સમયસર વ્યવસાય વેરો ભરતા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ​​​​​​​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનના ટેકસ વિભાગથી રૂ. 89235 વ્યવસાય વેરો ભરેલ નહી હોવા અંગેની નોટીસ મળી હતી. જેથી તેઓએ વિરાટનગર વિસ્તારમાં આવેલી પૂર્વ ઝોનની ઓફિસ ખાતે વોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ સિસોદિયાને મળ્યા હતા. અરવિંદસિંહને રજૂઆત કરી હતી કે, તેઓ વ્યવસાય વેરો સમયસર દક્ષિણ ઝોન ખાતે ભરે છે. જેથી, અરવિંદસિંહ જે નોટિસ આવી છે તેનો નંબર કેન્સલ કરાવવો પડશે. જેના માટે વ્યવહાર પેટે 40 હજારની લાંચ માગી હતી.

ફરીયાદી લાંચના નાણા આપવા માગતા ન હોવાથી તેઓએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા ACBની ટીમે વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસ ખાતે લાંચનુ છટકુ ગોઠવી રૂપિયા 40,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધાં હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...