Tuesday, January 13, 2026

અમદાવાદમાં અડધી રાતે SMCનો સપાટો, એક સાથે છ વિસ્તારમાં દારૂના અડાઓ પર દરોડા પાડતા બુટલેગરોમાં ફફળાટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગુનાહીત પ્રવૃત્તિને લઈને મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદમાં અડધી રાતે એક સાથે છ અલગ અલગ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગે સેલ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડતા મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારુનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.એક જ રાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અલગ અલગ છ જગ્યાઓ પર દરોડા પાડતા પોલીસમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ SMCની પહેલી રેડમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાંદલોડિયામાં રેલવેના છાપરા માંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. રેડ દરમ્યાન 78000 નો દેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હિરલબેન દંતાણી કે જે મુખ્ય દારૂનો અડ્ડો ચલાવનાર મહિલા છે તેની પણ ધરપકડ કરી છે.

બીજી રેડમાં ઓઢવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જય કેમિકલ કંપનીના ગેટ નંબર છ સામેથી જાહેર જગ્યા માંથી દેશી દારૂનો અડ્ડો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે 60000 રૂપિયાનો દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં દારૂ વેચનાર ત્રણ જેટલા નોકરોની ધરપકડ કરી છે તો સાથે રીતેશ ઉર્ફે માઈકલ સહિત અન્ય બે લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

SMCની ત્રીજી રેડમાં નિકોલ વિસ્તારમાં બહુચર ચાર રસ્તા પાસે આવેલી મહેશ્વરી સોસાયટીના મકાન નંબર 5 માં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે 13000 થી વધુનો દારૂ અને બીયર તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. અહીં દારૂ વેચનાર નોકર કિરણ વસાવાની ધરપકડ કરી છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર સુરેશ ભદોરીયા હાલ પોલીસ પકડથી દૂર છે.

SMCની ચોથી રેડમાં વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દામોદર ભુવન લક્ષ્મીનારાયણ મંદિર નજીક આવેલી ચાપાનેર સોસાયટીમાંથી વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દા માલ મળી સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નિલેશ આર્ય કે જે દારૂનો ધંધો કરતો હતો તેમજ ફરાર આરોપી વીકીને મકાન પણ ભાડે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય બે લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે તેમજ મુખ્ય આરોપી વિકી હાલ પોલીસ પકડથી દૂર છે.

SMCની પાંચમી રેડ ઓઢવ પોલીસ વિસ્તાર મથકમાં આવેલા ચામુંડાનગર માંથી દેશી દારૂનો જથ્થો મળી ત્રણ લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો અને પોલીસે ત્યાં દારૂ પીવા આવનાર 39 લોકોની ધરપકડ કરી છે. અજય ગોહિલ તેમજ પીન્ટુ નામનો વ્યક્તિ દારૂનો અડ્ડો ચલાવતો હતો. આ ઉપરાંત વધુ બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

SMCની છઠ્ઠી રેડમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી બાપા સીતારામ ચોક પાસે આવેલા ઉત્સવ એપાર્ટમેન્ટમાં દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂની બોટલ સહિત 58,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દરોડામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે જ્યારે વધુ એક વ્યક્તિની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનર તરીકે જીએસ માલિક આવ્યા ત્યાર બાદ અન્ય અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરી યોગ્ય કામગીરીઓ કરવા લાગ્યા હતા, પરંતુ સમય જતા ફરીથી શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ સક્રિય બન્યા છે જેને ડામવા માટે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ સક્રિય થયું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...