Wednesday, January 21, 2026

નવા વાડજની આ પ્રિ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની કરાઈ શાનદાર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : 28મી ફેબ્રુઆરી ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમનના સન્માનમાં અને સ્મૃતિમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.ત્યારે આજે નવા વાડજમાં આવેલ જીનિયસ જનરેશન પ્રિ સ્કૂલ દ્વારા આ દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી હતી. એક શાળાએ શાળાના બાળકો અને તેમના પરિવારના સભ્યો માટે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાળાના આચાર્ય ઝલકબેન ભાવસાર વાળા અને શિક્ષકો દ્વારા બાળકો પણ સહભાગી બનાવી વિજ્ઞાનની વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવી હતી. જેથી બાળકોને જાત અનુભવ મળે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે. Sr K G વર્ગના બાળકોએ 10 થી વધુ વિવિધ વિજ્ઞાનના પ્રયોગો અને વિજ્ઞાન આધારિત રમતોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તમામ બાળકોએ વિજ્ઞાન પ્રત્યે પોતાની ક્ષમતા દર્શાવી હતી અને પ્લે ગ્રુપ, નર્સરી અને જુનિયર કેજી વર્ગે વિવિધ વિજ્ઞાનના પ્રયોગોની જાદુઈ શક્તિનો આનંદ માણ્યો હતો.

 

તમામ શિક્ષકો અને બાળકોએ તમામ પ્રોજેક્ટ અને પ્રયોગો ખૂબ જ શાનદાર રીતે પ્રદર્શિત કર્યા હતા. આ તમામ પ્રયોગોમાં બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો.જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળામાં 180 થી વધુ વાલીઓએ મુલાકાત લીધી હતી. વાલીઓ ખૂબ જ ખુશ હતા અને તેઓએ તમામ બાળકો અને શિક્ષકોની મહેનતની પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રમન દ્વારા રમન ઇફેક્ટની શોધ કરવામાં આવી તેની પુષ્ટિ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે જ કરવામાં આવી હતી. વર્ષ 1930માં સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ ભારતના મહાન વૈજ્ઞાનિકોના સન્માન સંદર્ભે વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...