Sunday, March 1, 2026

રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગ બોર્ડની લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડની સ્કીમની વિગતવાર સમજૂતી

spot_img
Share

અમદાવાદ : હાઉસિંગ બોર્ડની કોલોનીઓ 30 થી 50 વર્ષ જૂની છે. મોટાભાગની સોસાયટીઓ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ તમને નવા ઘર મળે અને મૂળ મકાનના 40 ટકા વધારે બાંધકામ વાળા મળતા હોવા છતાં અનેક જગ્યાઓ પર લોકો ખંડેર સોસાયટીઓમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.પરંતુ રિડેવલપમેન્ટ સ્કીમમાં જવા તૈયાર નથી થઈ રહ્યા.જેનું મુખ્ય કારણ હાઉસીંગ બોર્ડના મકાનોમાં મોટાભાગના મકાનો વધારાના બાંધકામો કરાયેલ છે.વર્ષોથી વધારાના બાંધકામોનો ભોગવટો ધરાવે છે, જયારે રિડેવલપમેન્ટ પોલીસીમાં આપવામાં આવતું મુળ બાંધકામના 40 ટકા વધુ બાંધકામ રહીશોને નાનું પડે છે, જેના કારણે અનેક લોકો રિડેવલપમેન્ટમાં રસ દાખવી રહ્યાં નથી,જયારે છેલ્લાં કેટલાંક સમયથી લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડનો મુદ્દો ચર્ચામાં છે.જેને લઈને વોટસઅપ ગ્રુપની ચર્ચા મુજબ એકાદ-બે લોકો હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે.આ અગાઉ ગત સપ્તાહે જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ મુદ્દે ચર્ચા કરી હતી, જેને લઈને અમો ફરી એક વાર લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ મુદ્દે હાઉસીંગ બોર્ડ અને એકસપર્ટના સહયોગથી કેટલીક હકીકતો લઈને આ રિપોર્ટ રજૂ કરીએ છીએ.

સૌ પ્રથમ વાત કરીએ તો લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા એપાર્ટમેન્ટ ટાઈપ કોલોનીઓ માટે ઉપલબ્ધ નથી, પણ ટેનામેન્ટ, રો હાઉસ, પ્લોટ માટે ઉપલબ્ધ છે. વર્ષ-2021માં ગુજરાત હાઉસીંગ બોર્ડના તત્કાલીન હાઉસીંગ કમિશ્નર લોચન સહેરા દ્વારા સરકારમાં લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવા મંજુરી બાબતનો પત્ર લખ્યા હતો, પરંતુ હાઉસીંગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ એક વિચારણા આધીન પ્રસ્તાવ છે જેને હજુ સુધી ગુજરાત સરકાર કે સરકારી કચેરી દ્વારા મંજુરી મળી નથી.

તમને જણાવી દઈએ કે લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ સ્કીમમાં એસોસીએશને જે તે સમયની જે તે જગ્યાની જંત્રી જેટલી રકમ ભરી તે જગ્યા ગુ.હા.બોર્ડમાંથી એસોસીએશનના નામે કરવાની થાય છે.ત્યાર બાદ એ જમીન પર ગુ.હા.બોડૅ નો માલિકી હક્ક રહેતો નથી. સોસાયટીના સભ્યોનો માલિકી હક્ક બને છે.ત્યારબાદ સોસાયટી એસોસીએશન સ્વતંત્ર રીતે રિડેવલપમેન્ટમાં જઈ શકે છે અને પ્રાઈવેટ બિલ્ડર લાવી પોતાની સોસાયટીને સ્થાનિક સરકારી નિયમો આધીન, રેરા અને GDCR તથા કોર્પોરેશનના બાયલોઝ મુજબ રિડેવલપમેન્ટ દ્વારા નવી બનાવી શકે છે.પ્રાઈવેટ સોસાયટીની જેમ કાર્યવાહી થાય છે.લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ બાદ તે સોસાયટીમાં આપના મકાન માટે કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે સરકારની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી.

ગુ.હા.બોર્ડ નો લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ સ્કીમ હાલમાં એપાર્ટમેન્ટ ટાઈપ કોલોની માટે ઉપલબ્ધ નથી, છતાં જો કોઈ એક એપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખીને સમજીએ તો….ફ્રી હોલ્ડની ગણતરી અંગે એક એકસપર્ટના મત મુજબ, દા.ત. ઉત્સવ એપાર્ટમેન્ટનો 14,500 ચો.મીટર નો પ્લોટ છે એમાં 270 ફલેટ છે.હાલ 37000 રુ.જંત્રી છે જેને 14500 ચોમી એ ગણતરી કરીએ તો 53 કરોડ 65 લાખ જેટલી જંત્રી આવે ,જેને ફલેટ મુજબ વરાડે પડતું ગણીએ તો એક ફલેટના 19 લાખ 87 હજાર ભાગે પડતા આવે…

નોંધઃ આ રિપોર્ટમાં એકસપર્ટના મત મુજબ રકમ અને વિસ્તાર અંદાજિત ગણતરી માટે મુકેલ છે.આ તેઓની સમજણ મુજબ ફક્ત માહિતી માટે મુકેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...