Wednesday, January 21, 2026

AMC ના વિભાગો નાગરિકોને દંડ-વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં આવતા વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે તમામ વિભાગોના વડાને જાણ કરવામાં આવી છે કે, જે પણ વિભાગ દ્વારા જીપીએમસી એક્ટના ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તેઓએ ઓનલાઈન 311 એપ્લિકેશન પર M CHALLANમાં ઓનલાઈન UPI, રોકડ અને ચેક વગેરે મારફતે લેવાની રહેશે.અને તેની પહોંચ પણ ઓનલાઇન આપવાનો મહત્ત્વનો નિર્ણય કમિશનરે કર્યો છે.

તમને જણાવી દઈએ કે અમુક જગ્યાએ ડરાવી-ધમકાવીને વધુ દંડ ફટકારવાની ચીમકી આપીને તોડ કરવાની ફરિયાદો વધવા પામી છે. તેને ધ્યાને લઇ કમિશનરે વહીવટી ચાર્જ અને દંડ વગેરે ઓનલાઇન જ વસૂલ કરવા તેમજ તેની પહોંચ પણ ઓનલાઇન આપવા માટે મ્યુનિ.કર્મચારીઓ અને અધિકારીઓ માટેની 311 એપ્લિકેશનમાં M CHALLAN નામનાં મોડ્યુલનો સમાવેશ કરાવ્યો છે.

દંડ અને વહીવટી ચાર્જ વસૂલ કરતાં કર્મચારી-અધિકારીએ જો ઈન્ટરનેટ કનેક્શન ન હોય અથવા ટેકનિકલ કે નેટવર્ક પ્રોબ્લેમ હોય તેવા સંજોગોમાં સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને ફિઝિકલ ચલણ બનાવવાનું રહેશે અને વસૂલ કરાયેલી પેનલ્ટીની રકમ નજીકના સિવિક સેન્ટરમાં જમા કરાવવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...