Saturday, January 17, 2026

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતીઓ માટે ખુશખબર, Ahmedabad Zoo એપ્લિકેશન લોન્ચ કરાઈ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાં સૌથી પ્રખ્યાત એવા કાંકરિયા પરિસરની માહિતી હવે માત્ર એક ક્લિક ઉપર મળી રહેશે. કાંકરિયા લેકફ્રન્ટની Ahmedabad Zoo નામની નવી એપ્લિકેશન આજે લોન્ચ કરવામાં આવી છે. કાંકરિયા લેકફ્રન્ટમાં નગીના વાડી, પ્રાણીસંગ્રહાલય બાલવાટિકા જેવા વિવિધ વિવિધ આકર્ષણો આવેલા છે. વિશાળ એવા કાંકરિયા પરિસરમાં લોકો હવે સરળતાથી કઈ જગ્યા ક્યાં આવેલી છે? તે અંગેની માહિતી મેળવી શકાય તેના માટે નેવિગેશન એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં પોતાની સ્વેચ્છાએ જે પશુના પાંજરા પાસે જવું હોય ત્યાં તકલીફ વગર જઈ શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC એ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ના રોજ અમદાવાદ ઝૂ નામની એપ લોન્ચ કરી છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓ પ્રાણી-પક્ષીઓની કોઈ પણ તકલીફ વિના નિહાળી શકે તે માટે Ahmedabad Zoo નામની નેવિગેશન એપ લૉન્ચ કરાઈ છે. Ahmedabad Zoo નેવિગેશન એપનું લોન્ચિંગ થયું છે. હવે તમે કહેશો આ એપ આપણને શું કામ લાગશે? તો અમે તમને જણાવી દઈએ કે કાંકરિયા ઝૂમા આવેલા મુલાકાતઓ હવે કોઈ પ્રાણીનું લોકેશન મેળવી શકશે. AMC દ્વારા તેનું આજના દિવસે વિશેષ આયોજન કર્યું છે.

AMC એ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ દત્તક આપવાનો નવો અભિગમ પણ અપનાવ્યો છે. જેમાં ઝૂના પ્રાણીઓને હવેથી ડોનર દત્તક લઇ શકશે. પશુ-પક્ષી અને સર્વિસ રૂપ પ્રાણીઓને દત્તક લેવા માટે AMC એ વાર્ષિક ખર્ચની અંદાજિત રકમનું ચાર્ટ તૈયાર કરાયું છે. પ્રાણીસંગ્રહાલયમાં શું ગાઈડ દ્વારા ગાઇડેડ ટુર્સ પણ કરાવવામાં આવશે? ગાઈડ દ્વારા પ્રાણી પક્ષીઓના પાંજરાઓ પાસે માહિતી આપવામાં આવશે. ટચ ટેબલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટચ ટેબલ ઉપર વન્ય પ્રાણી પક્ષીઓના આર્ટિકલ નિહાળવામાં અને સ્પર્શ કરવા માટે રાખવામાં આવ્યા છે.

તેમજ ટચ ટેબલ પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વન્ય પ્રાણી-પક્ષીઓના આર્ટિકલ્સ મુલાકાતીઓને અને ખાસ કરીને નાના બાળકો સ્પર્શ કરવા દેવામાં આવશે. પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ગાઇડ દ્વારા ગાઇડેડ ટુર્સ પણ કરાવવામાં આવશે.જેના થકી પ્રવાસીઓ દરેક વન્ય પ્રાણી-પક્ષીઓના પાંજરાઓ પાસે ઝૂ ગાઈડ મારફતે માહિતી જાણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...