અમદાવાદ : અમદાવાદમાં પોલીસ પર પથ્થર ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં મોડી રાત્રે શહેરમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં D.J. બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી હતી. તેમજ પોલીસના સમજાવ્યા બાદ પણ ઝઘડો કરી અમદાવાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાને લઈ પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અમદાવાદ પોલીસે બંદોબસ્ત ગોઠવી ઘટનાને કાબૂમાં લીધી હતી.
પોલીસના જણાવ્યાનુસાર, હાલ આ વિસ્તારમાં શાંતિ છે, ઘટનામાં કોઇ પોલીસ ઈજાગ્રસ્ત નથી. ઘટનાને લઇ રાયટિંગની ફરિયાદ નોંધવામાં આવશે. જે બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.


