Tuesday, January 13, 2026

અમદાવાદમાં જાહેરમાં થૂંકવું મોંઘું પડ્યું, એક દિવસમાં આટલા ‘પિચકારીબાજ’ દંડાયા

spot_img
Share

અમદાવાદ: દેશના શહેરોમાં અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેરને ઉત્તરોત્તર પ્રગતિ મળી છે. પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા ટ્રાફિક જંકશનો, બીઆરટીએસ, કોરિડોરની ગ્રીલ્સ તેમજ ડિવાઈડરોને કરોડો રુપિયાના ખર્ચે સેંકડો લોકો સાફ કરતાં હોવા છતાં ફરીથી ગંદી કરવામાં આવે છે. જેની પાછળનું કારણ છે પાન મસાલા. લોકો પાન મસાલા ખાઈને થૂંકી નાંખે છે. તેને કારણે 2 જી ફેબ્રુઆરીથી અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ત્યારે રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 56 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપી કુલ રૂ. 5550નો દંડ વસુલવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હીકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી કરનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા દંડ કરવામાં આવે છે. આજે રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 56 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપી કુલ રૂ. 5550નો દંડ વસુલવામાં આવ્યો છે. શહેરના મણીનગર, ઘાટલોડિયા, જોધપુર, બોપલ, બહેરામપુરા, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાંથી લોકો થૂંકતા ઝડપાયા હતા. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...