Tuesday, January 13, 2026

અમદાવાદમાં ACBની બે સફળ ટ્રેપ, કોમ્પ્યુટર ઓપરેટર અને પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા મંગળવારે બે અલગ અલગ ગુના નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં વેજલપુર દક્ષિણ પશ્ચિમ ઝોનના કોમ્પ્યુટર ઓપરેટરને રેશન કાર્ડ કઢાવવાના બદલામાં રૂપિયા 500 ની લાંચ લેતા અને UGVCL પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 5000ની લાંચ લેતો ઝડપાયો હતો. આ અંગે ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વર્ષ 2020માં ફરિયાદીના પિતા વિરુદ્ધ વીજચોરીના ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ 1.27 લાખ ભરવાના હતા જે અંગે નોટિસ આપી 7 દિવસમાં પૈસા ભરવા જણાવ્યું હતું. આરોપી આટલી રકમ એક સાથે ભરી શકે તેમ નહોતું જેથી કેસ લોક અદાલતમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સાબરમતી UGVCLનો પોલીસ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ચંદાવત હેરાન કરી રહ્યો હતો. આરોપીએ હેરાન ન કરવા વિનંતી કરી, ત્યારે કોન્સ્ટેબલ 10 હજાર રૂપિયાની માગ કરી હતી.જેમાં રકઝકના અંતે પાંચ હજારની રકમ નક્કી થઇ હતી. જે અનુસંધાનમાં ફરિયાદીએ ACBને જાણ કરતા સુભાષબ્રીજ સર્કલ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.સમગ્ર મામલે ACBએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી ટ્રેપમાં જુહાપુરામાં રહેતા વ્યક્તિએ રાશન કાર્ડ બનાવવા માટે AMCની મકતમપુરા વોર્ડની સબ ઝોનલ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર સુનિલ ભોજાવિયાનો સંપર્ક કર્યો હતો. જે માટે તેણે 4500 રૂપિયા માંગ્યા હતા અને તે પૈકી ત્રણ હજાર રૂપિયા ચુકવી દેવામાં આવ્યા હતા.જ્યારે બાકીના 1500 પૈકી 500 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. જે અંગે ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ એપીએમસીના મુખ્ય ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું.જેમાં સુનિલ ભોજાવિયા વતી લાંચ લેતા તેના કમરૂદ્દીન શેખ નામના મળતિયાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બંને ગુના અંગે ACBએ વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...