Friday, January 23, 2026

સિંધુભવન રોડ પર હિટ એન્ડ રન મામલો, બાઇકચાલકનો ભોગ લેનારો આરોપી પોલીસના સકંજામાં

spot_img
Share

અમદાવાદ : સિધુભવન ખાતે રાત્રે અકસ્માત સર્જી ફરાર થનાર આરોપીને આખરે પોલીસે ઝડપી લીધો છે. અકસ્માત બાદ ફરાર થયેલા આરોપી આજે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે જ્યારે કારચાલક અંગે તપાસ કરવામાં આવી ત્યારે આરોપી ડીસા તાલુકાનો વતની અને હાલ ગુલબાઈ ટેકરા નજીક પાસપોર્ટ ઓફિસ ચાર રસ્તા પાસે આવેલી ગંગોત્રી સોસાયટીના પરેશભાઈના પીજીમાં રહેતો 21 વર્ષીય પ્રેમ મુકેશભાઈ માળી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. છે. તે સાબરમતી યુનિવર્સિટીમાં MBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે તેના મિત્ર મયૂરસિંહ ટાંક પાસેથી 7 માર્ચના રોજ થાર ગાડી ચલાવવા માટે લીધી હતી. જે પછી 9 માર્ચે એટલે કે ગઈકાલે રાત્રિના પ્રેમ થાર લઈને સિંધુભવન રોડ તાજ હોટલ પાસે જતો હતો એ વખતે રાતના બે વાગ્યે અકસ્માત થયો હતો.

થારનો ચાલક ડીસા તાલુકાનો વતની અને હાલ ગુલબાઈ ટેકરા નજીક પાસપોર્ટ ઓફિસ ચાર રસ્તા પાસે આવેલી ગંગોત્રી સોસાયટીના પરેશભાઈના પીજીમાં રહેતો 21 વર્ષીય પ્રેમ મુકેશભાઈ માળી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. તે સાબરમતી યુનિવર્સિટીમાં MBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે તેના મિત્ર મયૂરસિંહ ટાંક પાસેથી 7 માર્ચના રોજ થાર ગાડી ચલાવવા માટે લીધી હતી. 9 માર્ચે એટલે કે ગઈકાલે શિવરાત્રિનો ઉપવાસ હોઈ, રાત્રે હાજર હતો એ વખતે રાત્રિના 1.32 વાગ્યે દિવ્યાંગ પટેલનો ફોન આવ્યો હતો, આથી તેણે નાસ્તો કરવા માટે તાજ હોટેલની સામે સિંધુભવન રોડ ઉપર બોલાવ્યો હતો, આથી પ્રેમ થાર લઈને સિંધુભવન રોડ તાજ હોટેલ પાસે જતો હતો એ વખતે રાતના બે વાગ્યે અકસ્માત થયો હતો.

તમને જણાવી દઈએ કે સિંધુભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી નામનો સગીર મિત્રની બાઈક લઈને સિંધુભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓર્નેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે પૂરઝડપે કાર હંકારી બાઈકસવાર યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી કાર મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...