Sunday, January 18, 2026

વાડજ પોલીસની પ્રસંશનીય કામગીરી, વિદેશી મેડિકલના વિદ્યાર્થીને ડરાવી ધમકાવી લૂંટી જતા ચાર લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યા

spot_img
Share

અમદાવાદ: ફિલિપાઈન્સમાં MBBS નો અભ્યાસ કરતો વિદ્યાર્થી મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરીએ ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનું પાર્સલ લેવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે વાડજ ખાતે આ લૂંટારાઓએ યુવકને પાર્સલ લેવા આવ્યો છે, તેવું કહીને મારવાની ધમકી આપીને તેની પાસેથી પાસપોર્ટ, મોબાઈલ અને ATM કાર્ડની લૂંટ કરી હતી.વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો અને આ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજસ્થાનનો મૂલચંદ ફિલિપાઇન્સમાં MBBS માં અભ્યાસ કરે છે. મૂલચંદ ભારત આવે ત્યારે તેની સાથે અભ્યાસ કરતા ઇરફાનનું પાર્સલ તેમ જ પૈસા તેના ભાઈ નવાબ પાસેથી લઈને ફિલિપાઇન્સ પહોંચાડી દેતો હતો. હાલમાં મૂલચંદ ભારત આવ્યો હોવાથી નવાબે તેને ફોન કરીને વાડજની ફોર્ચ્યુન લેન્ડ માર્ક હોટેલ પાસેથી પાર્સલ લઈ લેવા જણાવ્યું હતું, જેથી મૂલચંદ શનિવારે સવારે જયપુરથી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો અને નવાબનું પાર્સલ લેવા ગયો હતો. ત્યારે ત્યાં 4 લોકો આવ્યા હતા અને પાર્સલ લેવાના બહાને મૂલચંદને જૂના વાડજ હાલારનગરની એક ઓફિસમાં લઈ ગયા હતા અને તેની પર પંચ વડે હુમલો કરી પાસપોર્ટ, એટીએમ કાર્ડ, ફોન, પૈસા લૂંટી લીધા હતા.આ અંગે મૂલચંદે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભાવિન ચક્રવર્તી, ચિરાગ ચૌહાણ, વિકાસ મકવાણા અને વિશાલ વાઘેલાની ધરપકડ કરી હોવાનું પીઆઈ સી. જી. જોશીએ જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાડજ પોલીસે ફરિયાદીની હકિકત જાણતા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો અને આ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે. જે પૈકી મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયા છે. જયારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂધ્ધ વાડજ અને સોલામાં મારામારી અને પ્રોહિબીશનના 4 ગુના નોંધાયા. એટલું જ નહીં, પણ વિશાલ એક વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. આ ઉપરાંત ચિરાગ ચૌહાણ સામે બે ગુના અને વિકાસ મકવાણા સાને એક ગુનો નોંધાયો છે.

ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે, આ લૂંટ કેસમાં આરોપીઓ નવાબનું પાર્સલ લેવા આવ્યા હોવાનું કહીને લૂંટને અંજામ આપ્યો હતો. જેથી લૂંટમાં નવાબની સંડોવણી છે કે નહીં, તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...