Thursday, January 22, 2026

અમદાવાદમાં બે યુવકો પાસેથી મળ્યા અનેક નકલી આધારકાર્ડ, પોલીસે એક શખ્સને ઝડપ્યો, એક ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બે યુવકો પાસેથી અનેક નકલી આધારકાર્ડ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના હાટકેશ્વરમાં ઝેરોક્ષ સેન્ટર પર બંને યુવકો પ્રિન્ટ કઢાવવા ગયા હતા. બાંગ્લા ભાષામાં બનેલા આધારકાર્ડની પ્રિન્ટ કઢાવવા જતાં દુકાનધારકને આધારકાર્ડ નકલી હોવાની શંકા જતા પોલીસને જાણ કરી હતી.પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી અને શકમંદોને પકડી લીધા હતા. જોકે, તકનો લાભ લઈ એક શખસ પોલીસની હાજરીમાં નાસી ગયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના હાટકેશ્વર પાસે આવેલા જાગૃતિ ટ્રાવેલ્સ નામના કોમ સર્વિસ સેન્ટરમાં આ બે કથિત બાંગ્લાદેશી યુવકો નકલી આધારકાર્ડ બનાવવા આવ્યા હતા. જો કે આ યુવકોન શંકાસ્પદ હિલચાલના કારણે કોમ સર્વિસ સેન્ટરના સંચાલક અરવિંદ ચોરસિયાએ વિલંબ કર્યા વિના 100 નંબર ડાયલ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

અમરાઈવાડી પોલીસનો કાફલો ત્યાં આવતા આ બંને યુવક ત્યાંથી ભાગ્યા હતા. જો કે પોલીસ જવાન તેમને પકડવા જતા નીચે પડી ગયો હતો. આ દરમિયાન એક યુવક પકડાઈ ગયો હતો.અને બીજો યુવક ખોખરા તરફ ભાગી ગયો હતો.સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં બાંગ્લાદેશી યુવકનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે.

યુવકના વોટ્સએપમાં 40થી વધુ આધારકાર્ડની PDF હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસે સ્થળ પર જઇને એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. આ શખ્સ પાસે બાંગ્લા ભાષાનું ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યું છે. ત્યારે પોલીસની તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...