Wednesday, March 4, 2026

મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ, સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકીઓને જન્મજાત પીડામાંથી મુક્ત કરાઈ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી (પેશાબની કોથળીમાં સમસ્યા)ની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. આ બન્ને બાળકોની અગાઉ તેમના દેશમાં સર્જરી કરવામાં આવી હતી, જે નિષ્ફળ નીવડતા માસુમો પેશાબની બિમારીથી પીડાઈ રહ્યાં હતાં. જે બાદ અમદાવાદ સિવિલના આંતરરાષ્ટ્રીય વર્કશોપ વાલીઓ બન્ને બાળકોને લઈને આવ્યા હતા. તપાસ બાદ બન્ને બાળકોની જન્મજાત પેશાબની કોથળીની સમસ્યાની સર્જરી કરીને પિડામાંથી મુક્તિ અપાવી હતી.

બાંગ્લાદેશમાં રહેતા રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને પેશાબની કોથળીની તકલીફ હોવાનું નિદાન થયું હતું. જેથી પ્રિયાનું જન્મ સમયે બાંગલાદેશની હોસ્પિટલમાં શસ્ત્રક્રિયાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. કમનસીબે તે ઓપરેશન નિષ્ફળ ગયું હતું. પરિણામે પ્રિયાના મૂત્રાશયનો ભાગ પેટની ઉપર ફરીથી ખુલ્લો થઇ ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી 2024માં યોજાયેલા બ્લેડર એસ્ટ્રોફી કેમ્પ દરમિયાન મોન્સપ્લાસ્ટી અને વાય-વી વેજીનોપ્લાસ્ટી સાથે ફરીથી બ્લેડર એસ્ટ્રોફી રિપેર કરાવી હતી. પ્રિયાનો પોસ્ટઓપરેટિવનો સમય કોઇ તકલીફ વગર રહેતા અંતે રજા આપવામાં આવી હતી.

તેવી જ રીતે, સાઉથ આફ્રિકાના કેન્યાના લ્યુસીનીની 1.5 વર્ષની દીકરી સ્ટેલાને પણ બ્લેડર એક્સસ્ટ્રોફી માટે 2 મહિનાની ઉંમરે ઓપરેશન કરવામાં આવ્યુ હતું. પરંતુ તે નિષ્ફળ ગયુ હતુ. અંતે દર્દીના માતા-પિતાને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પીડીયાટ્રીક સર્જરી વિભાગ ખાતે થતા બ્લેડર એક્સ્ટ્રોફી ઓપરેશન વિશે ખબર પડતા સાત સમુદ્ર પાર કરી સ્ટેલાને તેની માતા લ્યુસી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.સ્ટેલાને પણ જાન્યુઆરી 2024 માં અમદાવાદ ખાતે બ્લેડર એક્સસ્ટ્રોફી ઓપરેશનના કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રીક સર્જરી વિભાગના અને આંતરરાષ્ટ્રીય ડોક્ટરોની ટીમ દ્વારા તેણીનું ફરીથી બ્લેડર એક્સસ્ટ્રોફી રીપેર સાથે મોન્સપ્લાસ્ટી અને વાય-વી વજાઇનોપ્લાસ્ટીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. સ્ટેલાને પોસ્ટ ઓપરેટિવ સમયગાળામાં કોઈપણ તકલીફ ન થતા અંતે રજા આપવામાં આવી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, બ્લેડર એસ્ટ્રોફી સર્જરી એ અત્યંત જટિલ કહી શકાય તે પ્રકારની છે. જેમાં બાળકોને જન્મજાત પેશાબની કોથળીમાં કોઈપણ પ્રકારની તકલીફ હોવાના કારણે આ પ્રકારની સર્જરી કરવી પડે છે.સામાન્ય રીતે આ બ્લેડર એસ્ટ્રોપી સર્જરી લગભગ 8 થી 10 કલાક ચાલે છે. વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસ દરમિયાન આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય વર્કશોપ કરવામાં આવે છે. જેમાં વિભિન્ન દેશોમાંથી આ પ્રકારની તકલીફો ધરાવતા બાળકો સર્જરી માટે આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...