Wednesday, March 4, 2026

અમદાવાદ પાર્સલ બ્લાસ્ટના આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાનો સામાન ઝડપાયો, ત્રણ દેશી કટ્ટા મળ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પાર્સલમાં બોમ્બ ફાટવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી રૂપેણ બારોટના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે. આ સિવાય ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા છે. રૂપેણ બારોટ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે. રૂપેણ બારોટે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા બ્લાસ્ટ મામલે મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી અને આ ઉપરાંત તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. આરોપી પહેલાંથી જ ક્રાઇમ કુંડળી ધરાવે છે. રૂપેન બારોટ દારૂનો ધંધો કરે છે અને તે બુટલેગર છે. આ ઉપરાંત પોલીસને શંકા છે કે રૂપેન પોતાના ઘરે દેશી કટ્ટા બનાવીને વેચતો હતો, તેમજ તેણે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની આશંકા છે. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે અને આગળ બીજા અન્ય મોટા ખુલાસા થવાની આશંકા છે.

ઘરમાંથી પોલીસને બોમ્બ બનાવવા માટે નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખિલા, તીક્ષ્ણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી છે. દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હતો.રૂપેન બારોટ વિરૂદ્ધ વિસ્ફોટક સામગ્રી અને હથિયારોને લઈ બીજો ગુનો નોંધાયો હતો. પાર્સલ બ્લાસ્ટમાં પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શિવમ રો હાઉસમાં 10.45 વાગ્યાની આસપાસ એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...