26.4 C
Gujarat
Tuesday, July 8, 2025

અમદાવાદના આ વિસ્તારમાં જાણીતા બિલ્ડરે પ્રિબુકિંગના નામે લોકોને છેતર્યા, રૂ. 40 કરોડ લઇને થયો રાતોરાત ફરાર

Share

અમદાવાદ: ઘરનું ઘરનું સપનું જોતા ગ્રાહકો માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદમાં મકાનના પ્રિ-બૂકિંગના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો.અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે પ્રિ-બુકિંગના નામે લોકોને છેતર્યા છે. 40 કરોડ લઇને બિલ્ડર ફરાર છે અને બુકિંગ કરાવનાર લોકો પોતાની મરણમૂડીને લઇને ચિંતિત છે.જોકે કોઈ બાંધકામ શરુ જ ન થતા ગ્રાહકોને છેતરાયા હોવાની જાણ થઈ. ગ્રાહકોએ બિલ્ડરો સામે કાર્યવાહી કરવાની અને પોતાના રુપિયા પરત આપવાની માગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘર લેવાના નામે 200 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકી હતી. રિચમંડ પ્રિવિલોન અને અને સેલેસ્ટિયલ નામની સાઈટમાં બિલ્ડરે પ્રી-બુકિંગ શરૂ કર્યું. બુકિંગ પેટે 200થી વધુ લોકોએ પાસેથી રૂ.15 લાખ સુધીની લીધી હતી. હવે એવુ સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના પૂરા નાણાં ચુકવ્યા ન હોવાથી સોદો રદ થયો. સેલેસ્ટિયલ પહેલા પ્રોવિલોન ગ્રુપની હતી પણ જમીનનો સોદો ન થઈ શકતા હાલ અન્ય બિલ્ડરે પોતાનુ કામ શરૂ કર્યું છે. પરંતુ સેલેસ્ટિયલની સ્કિમમાં એડવાન્સ બુકિંગ કરનારા લોકો જ્યારે પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે બિલ્ડે હાથ ઉંચા કરી નાખ્યા.. બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહેતા જ બુકિંગ કરવાનારા લોકોને ફાળ પડી છે. છેતરપિંડીનો ભો ગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.

જો કે સ્કીમમાં ભાગીદાર રહેલા હરેન કારિયાએ કહ્યું હતું કે, હું 6 મહિના પહેલા જ ભાગીદારીમાંથી છૂટો થઇ ગયો છું. હું લોકોની તેમણે ભરેલી રકમ પરત મળે તેવા તમામ પ્રયત્નો કરીશ. કોઇના રૂપિયા ડૂબશે નહીં. પણ હાલ તો જ્યાં સુધી લોકોને પોતાના ભરેલા નાણાં દુધે ધોયેલા ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનારા લોકો ઉચાટમાં રહેશે તે તો નક્કી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles