Wednesday, January 21, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જાણીતા બિલ્ડરે પ્રિબુકિંગના નામે લોકોને છેતર્યા, રૂ. 40 કરોડ લઇને થયો રાતોરાત ફરાર

spot_img
Share

અમદાવાદ: ઘરનું ઘરનું સપનું જોતા ગ્રાહકો માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદમાં મકાનના પ્રિ-બૂકિંગના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો.અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે પ્રિ-બુકિંગના નામે લોકોને છેતર્યા છે. 40 કરોડ લઇને બિલ્ડર ફરાર છે અને બુકિંગ કરાવનાર લોકો પોતાની મરણમૂડીને લઇને ચિંતિત છે.જોકે કોઈ બાંધકામ શરુ જ ન થતા ગ્રાહકોને છેતરાયા હોવાની જાણ થઈ. ગ્રાહકોએ બિલ્ડરો સામે કાર્યવાહી કરવાની અને પોતાના રુપિયા પરત આપવાની માગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘર લેવાના નામે 200 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકી હતી. રિચમંડ પ્રિવિલોન અને અને સેલેસ્ટિયલ નામની સાઈટમાં બિલ્ડરે પ્રી-બુકિંગ શરૂ કર્યું. બુકિંગ પેટે 200થી વધુ લોકોએ પાસેથી રૂ.15 લાખ સુધીની લીધી હતી. હવે એવુ સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના પૂરા નાણાં ચુકવ્યા ન હોવાથી સોદો રદ થયો. સેલેસ્ટિયલ પહેલા પ્રોવિલોન ગ્રુપની હતી પણ જમીનનો સોદો ન થઈ શકતા હાલ અન્ય બિલ્ડરે પોતાનુ કામ શરૂ કર્યું છે. પરંતુ સેલેસ્ટિયલની સ્કિમમાં એડવાન્સ બુકિંગ કરનારા લોકો જ્યારે પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે બિલ્ડે હાથ ઉંચા કરી નાખ્યા.. બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહેતા જ બુકિંગ કરવાનારા લોકોને ફાળ પડી છે. છેતરપિંડીનો ભો ગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.

જો કે સ્કીમમાં ભાગીદાર રહેલા હરેન કારિયાએ કહ્યું હતું કે, હું 6 મહિના પહેલા જ ભાગીદારીમાંથી છૂટો થઇ ગયો છું. હું લોકોની તેમણે ભરેલી રકમ પરત મળે તેવા તમામ પ્રયત્નો કરીશ. કોઇના રૂપિયા ડૂબશે નહીં. પણ હાલ તો જ્યાં સુધી લોકોને પોતાના ભરેલા નાણાં દુધે ધોયેલા ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનારા લોકો ઉચાટમાં રહેશે તે તો નક્કી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...