Wednesday, March 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જાણીતા બિલ્ડરે પ્રિબુકિંગના નામે લોકોને છેતર્યા, રૂ. 40 કરોડ લઇને થયો રાતોરાત ફરાર

spot_img
Share

અમદાવાદ: ઘરનું ઘરનું સપનું જોતા ગ્રાહકો માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદમાં મકાનના પ્રિ-બૂકિંગના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો.અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે પ્રિ-બુકિંગના નામે લોકોને છેતર્યા છે. 40 કરોડ લઇને બિલ્ડર ફરાર છે અને બુકિંગ કરાવનાર લોકો પોતાની મરણમૂડીને લઇને ચિંતિત છે.જોકે કોઈ બાંધકામ શરુ જ ન થતા ગ્રાહકોને છેતરાયા હોવાની જાણ થઈ. ગ્રાહકોએ બિલ્ડરો સામે કાર્યવાહી કરવાની અને પોતાના રુપિયા પરત આપવાની માગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘર લેવાના નામે 200 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકી હતી. રિચમંડ પ્રિવિલોન અને અને સેલેસ્ટિયલ નામની સાઈટમાં બિલ્ડરે પ્રી-બુકિંગ શરૂ કર્યું. બુકિંગ પેટે 200થી વધુ લોકોએ પાસેથી રૂ.15 લાખ સુધીની લીધી હતી. હવે એવુ સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના પૂરા નાણાં ચુકવ્યા ન હોવાથી સોદો રદ થયો. સેલેસ્ટિયલ પહેલા પ્રોવિલોન ગ્રુપની હતી પણ જમીનનો સોદો ન થઈ શકતા હાલ અન્ય બિલ્ડરે પોતાનુ કામ શરૂ કર્યું છે. પરંતુ સેલેસ્ટિયલની સ્કિમમાં એડવાન્સ બુકિંગ કરનારા લોકો જ્યારે પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે બિલ્ડે હાથ ઉંચા કરી નાખ્યા.. બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહેતા જ બુકિંગ કરવાનારા લોકોને ફાળ પડી છે. છેતરપિંડીનો ભો ગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.

જો કે સ્કીમમાં ભાગીદાર રહેલા હરેન કારિયાએ કહ્યું હતું કે, હું 6 મહિના પહેલા જ ભાગીદારીમાંથી છૂટો થઇ ગયો છું. હું લોકોની તેમણે ભરેલી રકમ પરત મળે તેવા તમામ પ્રયત્નો કરીશ. કોઇના રૂપિયા ડૂબશે નહીં. પણ હાલ તો જ્યાં સુધી લોકોને પોતાના ભરેલા નાણાં દુધે ધોયેલા ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનારા લોકો ઉચાટમાં રહેશે તે તો નક્કી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...