Sunday, January 18, 2026

અમદાવાદના આ વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ ! અંગત અદાવતમાં ઘરની બહાર રિમોટથી બ્લાસ્ટ કરાવ્યો, 3 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : શનિવારે સવારના સમયે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં IOC રોડ પર આવેલ શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની છે. ત્રણ ઈસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કર્યો હતો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા એકની હાલત ગંભીર છે.

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં IOC રોડ શિવમ રો હાઉસમાં આવેલા બળદેવભાઈના ઘરમાં આવેલા એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. રિક્ષામાં ત્રણ ઈસમો આવ્યા હતા. રિક્ષામાંથી રોિમોટનું બટન દબાવ્યા બાદ બ્લાસ્ટ થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તો એક ગંભીર રીતે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સ્થાનિકોના મતે પાર્સલ નહોતુ મંગાવ્યુ છતાં ઘરે પહોંચ્યુ હતુ. જ્યાં પાર્સલ આપવા આવનારની સાથે અન્ય બે લોકો દૂર રિક્ષામાં પાસે ઉભા હતા. અને જેવું પાર્સલ સોંપાયું તેમાંથી દૂરથી રિમોર્ટ દબાવાયું હતું. જેમાં ખૂબ મોટો વિસ્ફોટ થયો હતો. આ બનાવમાં એક પાંચ વર્ષના બાળકના પગમાં પણ ઈજા થઈ હતી તેવું સ્થાનિકોનું માનવું છે. આમ આ બનાવમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા છે.

આ બ્લાસ્ટ રૂપેણ બારોટે અંગત અદાવતમાં કરાવ્યો હોવાની માહિતી સામે આવી છે. માહિતી અનુસાર, રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે. ત્યારે છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરવા માટે ગૌરવ અને અન્ય બે લોકોને મોકલ્યા હતા.

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ડોગ અને બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી હતી. સેક્ટર ૧ સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ કેસમાં ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસમાં રોહન રાવલે પાર્સલ મોકલ્યું હોવાની માહિતી મળી છે.

ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પાર્સલમાં થયેલા બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટ છૂટાછેડાની અદાવત રાખીને કરવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. તેની તપાસ માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...