Tuesday, March 10, 2026

અમદાવાદના આ વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ ! અંગત અદાવતમાં ઘરની બહાર રિમોટથી બ્લાસ્ટ કરાવ્યો, 3 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : શનિવારે સવારના સમયે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં IOC રોડ પર આવેલ શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની છે. ત્રણ ઈસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કર્યો હતો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા એકની હાલત ગંભીર છે.

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં IOC રોડ શિવમ રો હાઉસમાં આવેલા બળદેવભાઈના ઘરમાં આવેલા એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. રિક્ષામાં ત્રણ ઈસમો આવ્યા હતા. રિક્ષામાંથી રોિમોટનું બટન દબાવ્યા બાદ બ્લાસ્ટ થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તો એક ગંભીર રીતે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સ્થાનિકોના મતે પાર્સલ નહોતુ મંગાવ્યુ છતાં ઘરે પહોંચ્યુ હતુ. જ્યાં પાર્સલ આપવા આવનારની સાથે અન્ય બે લોકો દૂર રિક્ષામાં પાસે ઉભા હતા. અને જેવું પાર્સલ સોંપાયું તેમાંથી દૂરથી રિમોર્ટ દબાવાયું હતું. જેમાં ખૂબ મોટો વિસ્ફોટ થયો હતો. આ બનાવમાં એક પાંચ વર્ષના બાળકના પગમાં પણ ઈજા થઈ હતી તેવું સ્થાનિકોનું માનવું છે. આમ આ બનાવમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા છે.

આ બ્લાસ્ટ રૂપેણ બારોટે અંગત અદાવતમાં કરાવ્યો હોવાની માહિતી સામે આવી છે. માહિતી અનુસાર, રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે. ત્યારે છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરવા માટે ગૌરવ અને અન્ય બે લોકોને મોકલ્યા હતા.

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ડોગ અને બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી હતી. સેક્ટર ૧ સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ કેસમાં ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસમાં રોહન રાવલે પાર્સલ મોકલ્યું હોવાની માહિતી મળી છે.

ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પાર્સલમાં થયેલા બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટ છૂટાછેડાની અદાવત રાખીને કરવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. તેની તપાસ માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...