Friday, January 23, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ભરશિયાળે બે ભુવાઓ ! રિપેરિંગના એક મહિના પછી ફરી પડ્યા ભૂવાઓ !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભૂવાઓની બોલબાલા હોય તેમ લાગે છે. કારણ કે, એક ભૂવાનું સમારકામ થાય ત્યાં બીજો ભૂવો પડી જાય છે. શહેરનાં વિજય ચાર રસ્તા પાસે 2 ભૂવા પાડયા છે અને આ ભૂવાને એક માસ અગાઉ જ રિપેર કરવામાં આવ્યા હતા. છતાં ફરીવાર અત્યારે તો ચોમાસુ પણ નથી અને સિઝન વગરનો ભૂવો પડ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ ઝોનમાં વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર બે ભૂવા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં લગભગ એક મહિના પહેલાં જ એએમસી દ્વારા રોડના સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં રોડની આ પરિસ્થિતિ થતાં સમારકામના નામે ખર્ચાયેલા નાગરિકોના ટેક્સના પૈસા કોના પેટમાં ગયાં તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવી છે. ટેક્સ પ્રજા ભરે અને સામે પ્રજા જ અગવડતા પણ ભોગવે તેવા અમદાવાદનાં અનુભવો હાલ ભૂવારાજનાં કારણે નાગરિકોને થઈ રહ્યા છે.

શહેરના પોષ વિસ્તારમાં પડેલાં આ ભૂવાથી કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારી છતી થઈ છે. રિપેરિંગ થયા પછી પણ ભૂવા પડતા કોર્પોરેશન (AMC) અને કોન્ટ્રક્ટરની મિલીભગતનાં પુરાવા મળ્યા હોવાની લોક ચર્ચા છે. આ સાથે જ રોડ બનાવવાથી લઈને સમારકામ સુધી ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...