Wednesday, March 4, 2026

કોંગ્રેસે લોકસભા ઉમેદવારની બીજી યાદી કરી જાહેર, ગુજરાતના વધુ 11 નામો પર મહોર, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : લાંબા સમયથી જેનો ઈન્તજાર હતો અને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, જામનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોર અને સુરત બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા.

જુઓ કોને ક્યાં ટિકિટ મળી

પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર લડશે ચૂંટણી
સાબરકાંઠા બેઠક પરથી ડૉ. તુષાર ચૌધરી લડશે ચૂંટણી
આણંદ બેઠક પરથી અમિત ચાવડા લડશે ચૂંટણી
અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર લડશે ચૂંટણી
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સોનલ પટેલ લડશે ચૂંટણી
જામનગર બેઠક પરથી જે પી મારવિયા લડશે ચૂંટણી
ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી લડશે ચૂંટણી
પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ લડશે ચૂંટણી
દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવિયાડ લડશે ચૂંટણી
છોટાઉદેપુર બેઠક પરથી સુખરામ રાઠવા લડશે ચૂંટણી
સુરત બેઠક પરથી નિલેશ કુંબાની લડશે ચૂંટણી

તો આ પહેલા કોંગ્રેસે જે યાદી જાહેર કરી હતી તેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલન ટિકિટ આપવામાં આવી હતી.

હવે કોંગ્રેસે જે સાત નામ જાહેર કર્યા તેમાં તેમની સામે ભાજપના ઉમેદવાર કોણ છે તે પણ જાણી લો…કઈ બેઠક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની વાત કરીએ તો, આણંદમાં ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા સામે કોંગ્રેસના સુખરામ રાઠવા, પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના ચંદનજી ઠાકોર, ખેડાથી ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના કાળુસિંહ ડાભી, જામનગરથી ભાજપના પુનમ માડમ સામે કોંગ્રેસના જે.પી.મારવિયા, દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર સામે કોંગ્રેસના પ્રભા તાવિયાડ ચૂંટણી લડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...