Wednesday, February 18, 2026

અમદાવાદમાં પશુઓના અંતિમ સંસ્કાર માટે બનશે વિશિષ્ટ સ્મશાન, CNG સંચાલિત ભઠ્ઠી મૂકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પણ પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓને રાખતાં લોકોની સંખ્યા વધી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) પશુઓને સમર્પિત સ્મશાન બાંધવાનું નક્કી કર્યું છે. જ્યાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. શહેરનું આ પ્રકારનું પહેલું સ્મશાન ગ્યાસપુર નજીક સૂએજ સ્લજ રેડિએશન પ્લાન્ટ પાસે નિર્માણ પામશે.

એક રિપોર્ટ મુજબ AMCની સ્ટેન્ડીંગ કમિટિએ આ અંગે 6 મહિના સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો. અને અંતે CNG સંચાલિત ભઠ્ઠીવાળા સ્મશાન બનાવવાની પ્રપોઝલને મંજૂરી આપી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્યાસપુર નજીક સુએજ સ્લજ રેડીએશન પ્લાન્ટ પાસે CNG સંચાલિત સ્મશાન બનાવવામાં આવશે. શહેરનું આ પ્રથમ સ્મશાન હશે જ્યાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે.

AMCએ CNG સ્મશાનને 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જો કે આ સ્મશાનમાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. સામાન્ય રીતે CNG ભઠ્ઠીમાં માનવ મૃતદેહને બળતા એકથી બે કલાક લાગે છે જ્યારે ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓના શબને બળતા 3 થી 4 કલાક લાગી શકે છે. પશુઓના મૃતદેહોને પિરાણા પાસે દફન કરવામાં આવે છે પરંતુ આ સ્મશાન બન્યા બાદ પશુઓના પણ અંતિમ સંસ્કાર થશે.

પશુ અબોલ પ્રાણી છે. કહેવાય છે કે પશુઓનું જીવન મનુષ્ય જીવનના વર્ષો જેટલું બહુ લાંબુ હોતુ નથી. ઘરે રાખવામાં આવતા પાલતુ પશુ થોડા સમય જ સાથે રહે છે છતાં એક સ્વજન જેવી માયા બંધાઈ જાય છે. અને આથી જ્યારે આ પાલતુ પશુનુ મૃત્યુ થાય ત્યારે તેમના સ્વજનની જેમ વિધિવત અંતિમ સંસ્કાર કરાતા વધુ શાંતિ જરૂર મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...