Wednesday, January 14, 2026

આજે હોલિકા દહનનો પાવન પર્વ : આ સવા કલાકનું મુહૂર્ત છે સૌથી શ્રેષ્ઠ, જાણો કારણ અને કેટલાક ખાસ ઉપાય

spot_img
Share

અમદાવાદ : આજે હોલિકા દહનનો પાવન પર્વ છે.આમ તો હોળીના તહેવારને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય પણ હોળીનું જ્યોતિષની દ્રષ્ટીએ ઘણું મહત્વ છે. આ દિવસે લોકો મનમૂકીને દાન પુણ્ય કરે છે. હિન્દુ ધર્મમાં હોળી અને ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. ધુળેટીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે.

ફાગણ મહિનાના પૂનમની તિથિ પર હોલિકા દહન કરાય છે. ત્યારે હોલિકા દહન ભદ્રા રહિત પ્રદોષયુક્ત પૂનમ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે ભદ્રાની છાયા છે ત્યારે રાત્રીના 11.13 મિનિટથી 12.20 મિનિટ સુધી શુદ્ધ સમય દરમિયાન હોલિકા કરશો તો ઘણો લાભ મળશે.તો આ ઉપરાંત વિષ્ટિના પૂંછ ભાગમાં પણ હોલિકા દહન થઈ શકે છે જે મુજબ સાંજે 6.40 મિનિટથી 7.50 દરમિયાન હોલિકા દહન કરી શકાશે.

હોલિકા દહન 2024નું શુભ મુહૂર્ત

ભદ્રા કાળ દરમિયાન હોલિકા દહન કરવું શુભ માનવામાં આવતું નથી.
હોલિકા દહન 2024ની સાંજે ભદ્રા છે.
ભદ્રા કાળ 24મી માર્ચે રાત્રે 11.13 વાગ્યા સુધી ચાલશે.
હોલિકા દહનનો શ્રેષ્ઠ સમય બપોરે 11:14 થી 12:20 સુધીનો રહેશે.

હોલિકા દહનના બીજા દિવસે, હોળીની રાખને ઘરે લાવો, તેમાં સરસવના દાણા અને આખું મીઠું મિક્સ કરો અને તેને એક વાસણમાં રાખો. આ વાસણને ઘરમાં સુરક્ષિત જગ્યાએ રાખો. આ ઉપાયથી વ્યક્તિ ખરાબ નજર અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવી શકે છે. પૈસાની તંગી દૂર થાય છે.

કુંડળીના નવ ગ્રહોના દોષોને દૂર કરવા માટે હોળીની ભસ્મ શિવલિંગ પર ચઢાવવી જોઈએ. તમે ઈચ્છો તો આ રાખને સ્વચ્છ પાણીમાં મિક્સ કરીને શિવલિંગને અર્પણ કરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...