Friday, March 13, 2026

આજે હોલિકા દહનનો પાવન પર્વ : આ સવા કલાકનું મુહૂર્ત છે સૌથી શ્રેષ્ઠ, જાણો કારણ અને કેટલાક ખાસ ઉપાય

spot_img
Share

અમદાવાદ : આજે હોલિકા દહનનો પાવન પર્વ છે.આમ તો હોળીના તહેવારને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય પણ હોળીનું જ્યોતિષની દ્રષ્ટીએ ઘણું મહત્વ છે. આ દિવસે લોકો મનમૂકીને દાન પુણ્ય કરે છે. હિન્દુ ધર્મમાં હોળી અને ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. ધુળેટીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે.

ફાગણ મહિનાના પૂનમની તિથિ પર હોલિકા દહન કરાય છે. ત્યારે હોલિકા દહન ભદ્રા રહિત પ્રદોષયુક્ત પૂનમ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે ભદ્રાની છાયા છે ત્યારે રાત્રીના 11.13 મિનિટથી 12.20 મિનિટ સુધી શુદ્ધ સમય દરમિયાન હોલિકા કરશો તો ઘણો લાભ મળશે.તો આ ઉપરાંત વિષ્ટિના પૂંછ ભાગમાં પણ હોલિકા દહન થઈ શકે છે જે મુજબ સાંજે 6.40 મિનિટથી 7.50 દરમિયાન હોલિકા દહન કરી શકાશે.

હોલિકા દહન 2024નું શુભ મુહૂર્ત

ભદ્રા કાળ દરમિયાન હોલિકા દહન કરવું શુભ માનવામાં આવતું નથી.
હોલિકા દહન 2024ની સાંજે ભદ્રા છે.
ભદ્રા કાળ 24મી માર્ચે રાત્રે 11.13 વાગ્યા સુધી ચાલશે.
હોલિકા દહનનો શ્રેષ્ઠ સમય બપોરે 11:14 થી 12:20 સુધીનો રહેશે.

હોલિકા દહનના બીજા દિવસે, હોળીની રાખને ઘરે લાવો, તેમાં સરસવના દાણા અને આખું મીઠું મિક્સ કરો અને તેને એક વાસણમાં રાખો. આ વાસણને ઘરમાં સુરક્ષિત જગ્યાએ રાખો. આ ઉપાયથી વ્યક્તિ ખરાબ નજર અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવી શકે છે. પૈસાની તંગી દૂર થાય છે.

કુંડળીના નવ ગ્રહોના દોષોને દૂર કરવા માટે હોળીની ભસ્મ શિવલિંગ પર ચઢાવવી જોઈએ. તમે ઈચ્છો તો આ રાખને સ્વચ્છ પાણીમાં મિક્સ કરીને શિવલિંગને અર્પણ કરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...